પાકિસ્તાનમાં ઈમરાન ખાન સામે અસંતોષનો 'ઉકળતો ચરુ', સેના ચીફ બાજવાની મૌલાના ફઝલને ચેતવણી 

પાકિસ્તાન(Pakistan) સૈન્ય પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા (Qamar Javed Bajwa)એ જમીયત ઉલેમાએ ઈસ્લામ ફઝલ (જેયુઆઈ-એફ)ના નેતા મૌલાના ફઝલુર રહેમાન સાથે મુલાકા કરીને તેમને આઝાદી માર્ચ ન કાઢવાનું કહ્યું છે.

પાકિસ્તાનમાં ઈમરાન ખાન સામે અસંતોષનો 'ઉકળતો ચરુ', સેના ચીફ બાજવાની મૌલાના ફઝલને ચેતવણી 

ઈસ્લામાબાદ: પાકિસ્તાન(Pakistan) સૈન્ય પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા (Qamar Javed Bajwa)એ જમીયત ઉલેમાએ ઈસ્લામ ફઝલ (જેયુઆઈ-એફ)ના નેતા મૌલાના ફઝલુર રહેમાન સાથે મુલાકા કરીને તેમને આઝાદી માર્ચ ન કાઢવાનું કહ્યું છે. જિયો ન્યૂઝ ઉર્દૂના એક રિપોર્ટમાં એક ટીવી ચેનલ એંકરના હવાલે આ જાણકારી આપવામાં આવી છે. આ એંકર તે પત્રકારોમાં સામેલ હતાં જેમણે વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મુલાકાત કરી હતી. તેમણે ટીવી શોમાં જણાવ્યું કે મૌલાના ફઝલ અને જનરલ બાજવાની મુલાકાત થોડા દિવસ પહેલા થઈ હતી. 

તેમણે જણાવ્યું કે જનરલે મૌલાનાને વિશ્વાસ અપાવ્યો કે તેઓ લોકતંત્ર અને બંધારણની સાથે છે અને તે જ કામ કરે છે જેની બંધારણ તેમને મંજૂરી આપે છે. એંકરે જણાવ્યું કે જનરલ બાજવાએ મૌલાના ફઝલને કહ્યું છે કે તેઓ એક જવાબદાર રાજનેતા છે અને તેમને ખબર હોવી જોઈએ કે વિસ્તારની હાલાત કઈ હદે બગડી છે. ધરણા માટે આ યોગ્ય સમય નથી. હાલ દિવસ-રાત દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનું કામ થઈ રહ્યું છે. સૈન્ય પ્રમુખે સ્પષ્ટપણે કહયું કે તેઓ હાલ 'અસ્થિરતા ફેલાવનારી કોઈ પણ પણ પ્રકારની કાર્યવાહી'ની મંજૂરી આપશે નહીં. 

જુઓ LIVE TV

સૈન્ય પ્રમુખે મૌલાના સામે સ્પષ્ટ કરી દીધુ કે ઈમરાન ખાન બંધારણીય રીતે ચૂંટાયેલા વડાપ્રધાન છે. તેમને બાજુમાં મૂકી દેવાની વાત વિચારી શકાય નહીં. ન તો તેઓ, ન કોઈ મૌલાના, કોઈ પણ વડાપ્રધાનને 'માઈનસ' કરી શકે નહીં. જો મૌલાના પોતાની વાત પર અડગ રહ્યાં તો પછી 'કેટલાક વધુ લોકો માઈનસ' થઈ શકે છે. સ્થિરતા જાળવવા કોઈ જાનમાલનું નુકસાન થયું તો બંધારણની મંજૂરી સાથે આવા પગલાં લેવાથી પણ પાછળ નહીં હટવામાં આવે. અખબારે રિપોર્ટમાં જણાવ્યું છે કે મૌલાના ફઝલ સાથે સંપર્ક કરીને આ અંગે જાણવાની  કોશિશ કરવામાં આવી પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news