Afghanistan: શિયા મસ્જિદ પર ફરી હુમલો, અત્યાર સુધી 32 લોકોના મોત અને 40થી વધુ ઈજાગ્રસ્ત

અફઘાનિસ્તાનમાં મસ્જિદને નિશાન બનાવવામાં આવી રહી છે. એક સપ્તાહની અંદર બીજીવાર શિયા મસ્જિદ પર હુમલો થયો છે. 

Afghanistan: શિયા મસ્જિદ પર ફરી હુમલો, અત્યાર સુધી 32 લોકોના મોત અને 40થી વધુ ઈજાગ્રસ્ત

કાબુલઃ અફઘાનિસ્તાનમાં કંધારની એક શિયા મસ્જિદમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા 32 લોકોના મોત થયા છે. સ્થાનીક પોલીસે જાણકારી આપી છે કે હુમલામાં 32 લોકોના મોત થયા છે અને 40થી વધુ લોકોને ઈજા પહોંચી છે. 

નમાઝ માટે મોટી સંખ્યામાં લોકો થયા હતા ભેગા
તાલિબાનના પ્રવક્તા બિલાલ કરીમીએ કહ્યું કે વિસ્ફોટકોએ કંધારમાં એક મસ્જિદને નિશાન બનાવી હતી. આ સપ્તાહની શરૂઆતમાં દેશના ઉત્તરીય ભાગમાં પણ આવો જ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. તેમણે આ મામલાની વધુ વિગતો આપી ન હતી અને કહ્યું હતું કે હાલમાં બ્લાસ્ટની તપાસ ચાલી રહી છે. વિસ્ફોટ પાછળ કોનો હાથ છે તે હજુ સ્પષ્ટ થયું નથી. શુક્રવારે બપોરે નમાઝમાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ભાગ લે છે.

આ ધમાકો જુમ્માની નમાજ દરમિયાન થયો છે. અફઘાનિસ્તાનની ન્યૂઝ એજન્સી ટોલો ન્યૂઝ પ્રમાણે કંધારના ઇમામ બરગાહ મસ્જિદમાં એક બાદ એક ત્રણ ધમાકા થયા છે. મહત્વનું છે કે ઇમામ બરગાદ મસ્જિદ કંધારની સૌથી મોટી મસ્જિદોમાં એક છે. 

પ્રત્યક્ષદર્શીઓ પ્રમાણે ધમાકો જોરદાર હતો અને હુમલામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધી શકે છે. હજુ સુધી કોઈ ગ્રુપે આ હુમલાની જવાબદારી લીધી નથી.

હાલમાં 8 ઓક્ટોબરે એક શિયા મસ્જિદમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા હતા. આ ધમાકાને એક આત્મઘાતી હુમલાખોરો અંજામ આપ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news