ચીનની હરકતથી અમેરિકા નારાજ, કહ્યું-UNSCના કામમાં અડિંગો ન જમાવો

પુલવામા આતંકી હુમલો થયા બાદ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરાવવાના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રજુ થયેલા પ્રસ્તાવ પર ચીને ફરી અડિંગો જમાવીને તેને બચાવ્યો છે. આવું ચોથીવાર બન્યું કે ચીને પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને મસૂદને વૈશ્વિક આતંકી જાહેર થતો બચાવ્યો. જો કે ચીનના આ પગલાથી હવે ભારત તો ઠીક પરંતુ અન્ય સભ્ય દેશો પણ ખુબ કાળઝાળ બન્યાં છે.

Trending news