જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે આરોપીઓની ધરપકડ

ભૂજ પાસે સયાજી એક્સપ્રેસમાં રાજકીય અગ્રણી જયંતી ભાનુશાળીની પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. ત્યારે ગુજરાત રેલવે પોલીસે હત્યાના મુખ્ય સૂત્રધાર એવા બે આરોપીની ધરપકડ કરી છે. આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉની રેલવે પોલીસે ઉત્તરપ્રદેશના અલ્હાબાદના એક આશ્રમમાંથી ધરપકડ કરી છે. રેલવે પોલીસ બંનેને આવતી કાલે ગુજરાત લાવશે.

Trending news