દાહોદમાં એક જ પરિવારના 6 લોકોની કરાઈ હત્યા

દાહોદમાં મોટો હત્યાકાંડ સર્જાયો છે. સંજેલીના તરકડા મહુડીમાં એક જ પરિવારના 6 લોકોની નિર્દયીપૂર્વક હત્યા કરવામાં આવી છે. પરિવારમાં રહેતા પતિ-પત્ની અને 4 બાળકોની ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. મરનારાઓમાં 3 બાળકો અને 1 બાળકીનો સમાવેશ થાય છે. હત્યાની તસવીરો એટલી દર્દનાક હતી કે, તમામ લોકોના ગળા કાપીને તેમની હત્યા કરવામાં આવી હતી. ત્યારે આવા મોટો હત્યાકાંડ બાદ દાહોદ પોલીસ દોડતી થઈ હતી, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Trending news