આ વખતે જૂનાગઢ શિવરાત્રીનો મેળો ઉજવાશે સાદાઈથી

આ વખતે જૂનાગઢનો મહા શિવરાત્રીનો મેળો શિવ કુંભ તરીકે ઉજવાશે નહિ. મહા શિવરાત્રીનો મેળો સાદાઈથી ઉજવાશે. કલેકટર ડૉ. સૌરભ પારધીની અધ્યક્ષતામાં પ્રથમ આયોજન બેઠક યોજાઈ હતી. દર વર્ષે મીની કુંભ તરીકે ઉજવવા ઉતરા મંડળની માંગ છે. સ્થાનિક આગેવાનો સરકારને વિનંતી કરશે. બેઠકમાં પોલીસ, કોર્પોરેશન, વન વિભાગ, વીજ કંપની, એસ ટી, રેલવે સહિતના વિભાગના અધિકારીની હાજર રહ્યાં હતા. ગિરનાર ડેવલમેન્ટ ઓથોરિટી અને યાત્રાધામ વિકાસ બોર્ડના પદાધિકારીઓની હાજર રહ્યાં હતા. મેળામાં યાત્રાળુઓને કોઈ તકલીફના પડે તે માટે આગોતરું આયોજન કરવામાં આવશે. મેળામાં સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવામાં આવશે.

Trending news