સમાચાર ગુજરાત: સીએએ અને એનસીઆરના સમર્થનમાં ભાજપની નાગરિક સમિતિઓની રેલી

સીએએ અને એનસીઆર (citizenship amendment act) મુદ્દે દેશભરમાં વાતાવરણ તંગ બન્યું છે. ત્યારે આજે ગુજરાતભરમાં CAAના સમર્થનમાં ભાજપ (BJP) ની નાગરિક સમિતિઓની રેલી નીકળશે. ગુજરાતના અલગ અલગ શહેરો અને ગામડાઓમાં આ રેલી નીકલશે. જેમાં ભાજપના નેતાઓ પણ રેલીમાં જોડાશે. અમદાવાદમાં મુખ્યમંત્રી રૂપાણી અને ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહેશે. તો વડોદરામાં જીતુ વાઘાણી અને મહેસાણામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજરી આપશે. આમ, 62 રેલીમાં 62 આગેવાનો હાજર રહેશે. તમામ જિલ્લા મથકો ઉપર CAAના સમર્થનમાં કાર્યક્રમ યોજાશે.

Trending news