અમદાવાદઃ ખોખરામાં રાવણ દહનના કાર્યક્રમનું આયોજન

અમદાવાદના ખોખરાની રેલવે કોલોની પાસે પણ રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સૌ પ્રથમ રાવણ દહન ખોખરા રેલવે કોલોનીમાં શરૂ કરવામાં આવ્યો હતો. રામલીલા દશેરા મહોત્સવ મંડળ રાવણ દહનનું આયોજન કરે છે. આ વર્ષે 45 ફૂટ ઉંચા રાવણની પ્રતિમા બનાવવામાં આવી છે. પાછલા 57 વર્ષથી રામલીલાનું આયોજન કરાય છે. અને 57 વર્ષથી રાવણ દહન થાય છે. આ રાવણ દહનને જોવા માટે મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહે છે.

Trending news