હાર્દિકે કર્યાં લગ્ન, જાણો પાટીદાર નેતાઓએ શું આપ્યા સૂચનો?

પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલે આજે સુરેન્દ્રનગરમાં કિંજલ પરીખ સાથે સાત ફેરા લીધા છે. આ સાથે જ કિંજલ પરીખ હાર્દિકની અર્ધાંગિની બની છે. ખૂબ સામાન્ય રીતે અને અંત્યત અંગત વ્યક્તિઓ અને સંબંધીઓની હાજરીમાં હાર્દિક અને કિંજલના લગ્ન સંપન્ન થયા હતા. ત્યારે હવે સાત ફેરા બાદની વિધી શરૂ થઈ રહી છે. આમ હાર્દિકે હવે બીજી ઈનિંગની શરૂઆત કરી છે. તેણે બાળપણની મિત્ર કિંજલ સાથે સાત ફેરા લઈને હવે સાંસારિક જીવન શરૂ કરશે.

Trending news