નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ઘટીને 121.74 મીટરે પહોંચી ગઇ છે. હાલ ડેમમાં 1590 એમસીએમ પાણીનો લાઇવ સ્ટોરેજ જથ્થો છે. ઉપરવાસમાંથી 14025 ક્યુસેક પાણીની આવક સામે 12122 ક્યુસેકની જાવક છે. હાલ ડેમ ની સપાટી 121.74 મીટર છે. 24 કલાક માં 10 સેમીનો ઘટાડો નોંધાયો છે. હાલ મુખ્ય કેનલમાં ગુજરાત માટે 12000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

Trending news