વિશ્વ પ્રસિદ્ધ કિડની સ્પેશિયાલિસ્ટ ડો.એચ.એલ ત્રિવેદીની અમદાવાદના દૂધેશ્વર સ્મશાન ગૃહ ખાતે અંતિમ ક્રિયા

વિશ્વ પ્રસિદ્ધ કિડની સ્પેશિયાલિસ્ટ ડો.એચ.એલ ત્રિવેદીની અમદાવાદના દૂધેશ્વર સ્મશાન ગૃહ ખાતે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. તેમના પત્ની સુનીતાબેન ત્રિવેદીએ પતિને મુખાગ્નિ આપ્યા હતા. આ પ્રસંગે ત્યા હાજર સૌ કોઈ આ ઉમદા દિલના વ્યક્તિ માટે રડી પડ્યા હતા. પરિવારજનો સાથે કિડની હોસ્પિટલનો સ્ટાફ મોટી સંખ્યામાં સ્મશાન ગૃહમાં પહોંચ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ હતી. સ્ટાફની લાગણી અને સંવેદનાથી સ્મશાન ગૃહનો માહોલ દુખદ બની ગયો હતો.

Trending news