કાશ્મીરી પંડીતોના પુન: વસવાટનો વિશેષ અહેવાલ

પ્રવાસી કાશ્મીરી પંડિતોની ઘર વાપસી માટે સરકાર અને સામાજિક સ્તર પર જે રીતે પ્રયત્નો તેજ થઈ રહ્યાં છે તેને જોતા હવે ભાગલાવાદી હુર્રિયત નેતાઓ પણ કહેવા લાગ્યા છે કે આ માટે જે મદદની જરૂર હશે તે તેઓ કરવા તૈયાર છે. કોઈ રાજકીય પક્ષ કે સામાજિક ધાર્મિક સમૂહનું પ્રતિનિધિત્વ નહીં કરવાનો દાવો કરતા સતીશ મહાલદારે કહ્યું કે, 'હું હુર્રિયત કોન્ફરન્સના ચેરમેન મીરવાઈઝ ઉમર ફારૂકને ચાર જુલાઈના રોજ મળ્યો હતો. કેટલાક પ્રવાસી (કાશ્મીરી) પંડિતો પણ સાથે હતાં.'

Trending news