પત્નીએ સુહાગરાતની ના પાડતા પતિએ કર્યું આવું કામ, બે દિવસના લગ્નનો કરુણ અંજામ

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા કલ્યાણ ચોક પાસે રહેતા એક યુવકના પોતાના સમાજની યુવતી સાથે 27 એપ્રિલના રોજ લગ્ન થયા હતા. લગ્ન બાદ પત્ની અને પરિવાર સાથે તે ટ્રેનમાં અમદાવાદ પરત આવ્યા હતા. પત્નીની ફરિયાદ મુજબ ટ્રેનની મુસાફરીના અને લગ્નના થાકના કારણે તેણે પતિની સુહાગ રાતની માંગણી સામે ઇન્કાર કર્યો હતો તેનાથી ઉશ્કેરાઈ ગયેલા પતિએ પત્નીની બહેને ફોન કરીને મોટા અવાજે વાતો કરી હતી અને આ ઘટનાના બીજા દિવસે તેણે પત્નીને માર માર્યો હતો. પતિના મારથી ડરી ગયેલી પત્નીએ પોલીસને ફોન કરીને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને આવી પહોંચ્યો હતો.

Trending news