CAA કાયદા મુદ્દે જનસંપર્ક અભિયાનને વેગ આપવા ભાજપે યોજી બેઠક

નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભાજપ આગામી દસ દિવસ જનસંપર્ક અભિયાનને વેગ આપશે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી વી સતીષની હાજરીમાં મળેલી બેઠકમાં આગામી કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી. જેમાં રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત આવશે અને સંમેલનમાં ભાગ લેશે. સંમેલનમાં કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાત આવશે.

Trending news