રાફેલ મુદ્દે અરૂણ જેટલીની પત્રકાર પરિષદ, કહ્યું- કોંગ્રેસ ખોટો પ્રચાર કરી રહી છે

સુપ્રીમ કોર્ટ દ્વારા રાફેલ ડીલ અંગેની અપીલને ફગાવી દેવાયા બાદ ભાજપ દ્વારા વારંવાર પત્રકાર પરિષદમાં ખુલાસા રજૂ કરાવામાં આવી રહ્યા છે. રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર નાણાંમંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, અસત્યનું આયુષ્ય ખૂબ ઓછું હોય છે. સત્ય અને અને અસત્ય વચ્ચે પાયાગત તફાવત હોય છે. તેમણે કહ્યું કે, રાફેલ ડીલે ભારતની સુરક્ષા અને વાણિજ્યક બંન્ને હિતોની રક્ષા કરી. તેમણે રાહુલ ગાંધીને નિશાને લેતા કહ્યું કે, સરકારના તમામ આંકડા સાચા છે અને રાહુલ ગાંધીના દરેક આંકડા ખોટા છે.તેમજ રાફેલ મુદ્દે ભાજપ સંસદમાં ચર્ચા કરવા તૈયાર છે, કોંગ્રેસ ખોટો પ્રચાર કરી રહી છે.

Trending news