નીરવ મોદીને ભારત લાવવાના પ્રયત્નો તેજ

PNB કૌભાંડના ભાગેડુ આરોપી નીરવ મોદીને ભારત લાવવાના પ્રયત્નો વધારી દેવામાં આવ્યા છે. 29 માર્ચે નીરવ મોદી મામલે સુનાવણી કરવામાં આવશે. જેને લઇ ઇડીના અધિકારીઓ લંડન જવાના છે. તો આ અગાઉ ભાગેડુ હીરાનો વેપારી નીરવ મોદીના વકીલ તેની મુક્તી માટે શુક્રવારે બીજીવાર આદેવન આપશે. આ મામલે તે દિવસે લંડનમાં વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થશે. મોદી 2 અરબ ડોલરની છેતરપીંડી તથા મની લોન્ડ્રીંગ મામલે ભારતમાં વોન્ટેડ છે.

Trending news