બર્ગર કિંગના ભોજનમાંથી નીકળી જીવાત!

વડોદરા(Vadodara) શહેરમાં આજકાલ જાણીતા અને બ્રાન્ડેડ રેસ્ટોરન્ટમાં પીરસાતા ફૂડમાં જીવાત નીકળવાનો રિવાજ બની ગયો છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન શહેરના વિવિધ પાંચથી વધારે બ્રાન્ડેડ અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી ચૂકેલ રેસ્ટરોરન્ટમાંથી(Restaurant) ગ્રાહકોને પીરસવામાં આવતાં ફૂડમાં મચ્છર, ઈયળ,વંદા જેવી જીવાત નીકળવાના કિસ્સા સામે આવી રહ્યા છે. અલકાપુરી વિસ્તારમાં આવેલ ચકલી સર્કલ ખાતેના બર્ગર કિંગ(Burger King) નામના રેસ્ટોરન્માં ગ્રાહકે ઓર્ડર કરેલ બર્ગરમાંથી મરેલું મચ્છર નીકળતા તેમને પાલિકાના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી છે.

Trending news