નિત્યાનંદ આશ્રમમાં તપાસ કરશે ચાઇલ્ડ વેલફેર કમિટી

નિત્યાનંદ આશ્રમ વિવાદ (Nityanand Ashram) મામલે સગીર બાળકો ગુમ થવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અમદાવાદ (Ahmedabad) ગ્રામ્ય પોલીસે 2 સાધ્વીઓની ધરપકડ કરી છે. આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા તથા પ્રિયાતત્વ નામની સાધ્વીઓની ધરપકડ કરાઈ છે. બંનેની સગીરાનું અપહરણ કરી ગેરકાયદેસર ગોંધી રાખવાના ગુના હેઠળ ધરપકડ કરાઈ છે. ત્યારે હવે આ મામલે ચાઈલ્ડ વેલફેર કમિટીની ટીમ નિત્યાનંદ આશ્રમમાં તપાસ કરશે.

Trending news