અમદાવાદમાં સ્કૂલવાનની ઘટના પર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપી પ્રતિક્રિયા

નિકોલ વિસ્તારમાં આવેલી પંચામૃત શાળાના બાળકો શાળાએથી ઘરે જતા હતા ત્યારે ત્રણ બાળકોમાં ચાલુ સ્કૂલવાનમાંથી પડી ગયા એવી ઘટના સામે આવી છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આરટીઓની સૂચના આપી દેવામાં આવી છે. આવા સંજોગો ફરી ન બને તે માટે વાહનની કેપેસિટી પ્રમાણે તે વાલીની હોય કે, સંચાલકની હોય તેમને આરટીઓ મંજુર કરેલી સંખ્યા પ્રમાણે જ વાનમાં બાળકોને બેસાડવા જેના કારણે ફરી વાર આવી ઘટનાઓ બની છે. આરટીઓને યોગ્ય પગલાં અને કડક પગલાં ભરવા માટેની સૂચના આપી છે.

Trending news