ભક્તિ સંગમ: કરો મલ્લિકાઅર્જૂન જ્યોતિર્લિંગના દર્શન

આંધ્રપ્રદેશના કુન્નુર જિલ્લામાં કૃષ્ણા નદીના કિનારે મલ્લિકાર્જુન મંદિરમાં શ્રીસેલમ જ્યોતિર્લિંગ આવેલું છે. સ્કંદ પુરાણમાં એક આખો અધ્યાય શ્રીસેલાકમંદ આ જ્યોતિર્લિંગના મહિમાનું વર્ણન કરે છે. મલ્લિકાર્જુન મંદિર વિશે એક પ્રાચીન કથા છે. તે અનુસાર શિવગણ નંદીએ અહીં તપસ્યા કરી હતી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અને પાર્વતીએ તેમને મલ્લિકાર્જુન અને બ્રારંભના રૂપમાં દર્શન આપ્યા હતાં. આ જ્યોતિર્લિંગનું મહાભારતમાં પણ વર્ણન છે. પાંડવોએ ‘પંચ પાંડવ’ લિંગની સ્થાપ્ના અહીંયાં કરી હતી. ભગવાન રામે પણ આ મંદિરનાં દર્શન કર્યાં હતાં. ભક્ત પ્રહ્લાદના પિતા હિરણ્યકશ્યપ પણ અહીંયાં પૂજા અર્ચના કરતા હતા.

Trending news