જાણો ગુરૂવારનો સૂર્યદેવ સાથે સંબંધ, હળદરના સામાન્ય પ્રયોગથી મળશે ઉત્તમ ફળ

હળદરની ગાંઠના અનેક પ્રયોગ વૈદિક જ્યોતિષમાં વર્ણિત કરવામાં આવ્યા છે. આયુર્વેદના મતે હળદરની પ્રકૃતિ ઉષ્ણ છે, તે કટુ-તિક્ત સ્વાદ ધરાવે છે. તેને સુગંધિત અને ઉત્તેજક ગણવામાં આવે છે. કુંડળીમાં દાંપત્યસુખસૂચક સાતમું સ્થાન શુક્ર-ગુરુ બગડેલા હોય કે યોગ્ય મેળાપક થયા ન હોય તો લગ્નજીવનમાં વિસંવાદિતા સર્જાય છે. પતિનો પ્રેમ પ્રાપ્ત થતો નથી. આવી સ્થિતિમાં હળદરનો પ્રયોગ લાભદાયક નીવડે છે. ગુરુવારે પીળા રંગનું એક વસ્ત્ર ધારણ કરવું. પીળા રંગના રેશમી વસ્ત્રમાં હળદરની ગાંઠ બાંધીને પર્સમાં રાખવું. બેસનનું બનેલું ભોજન જ જમવું, મોળા શેકેલા ચણા ખાઈને રહી શકાય તો ઉત્તમ. ‘ક્લીમ્ રત્યૈ કામદેવાય નમ:’ મંત્રના જપ કરવા, ઓછામાં ઓછા ૧૦૮ જપ કરવા, વધુ જેટલા થઈ શકે તેટલા કરવા.

Trending news