અમીરગઢ: બાલુંદ્વામાં ખેડૂત પર રિંછનો હુમલો

બનાસકાંઠામાં રીંછનો વધુ એક ખેડૂત પર હુમલો કરવાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટના અમીરગઢમાં બાલુન્દ્રા ગામે બની છે, જેમાં એક ખેડૂત પર ખૂંખાર રીંછે હુમલો કર્યો છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, ખેતરમાં રાત્રીફેરી કરતા સમયે રીંછે અચાનક હુમલો કર્યો હતો. આ ઘટનામાં ભોગ બનનાર ખેડૂતનું નામ ભાવાભાઇ રબારી છે. જેમને રીંછે પાછળથી હુમલો કરતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે.

Trending news