આજે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લેશે...

આજે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદના શપથ લેશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વખત જીત હાંસલ કરનારા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ આજે સવારે 10 વાગ્યે મુખ્યમંત્રીના પદે શપથ લેશે. દિલ્હીના રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલ સહિત 6 મંત્રીઓ શપથ ગ્રહણ કરશે. શપથ ગ્રહણ દરમિયાન મંચ પર સફાઈ કર્મચારી, ડોક્ટર, બાઈક એમ્બ્યૂલન્સ રાઈડર્સ, અન્ય કર્મચારીઓ, ઈજનેરો સહિત દિલ્હીના 50 નિર્માતા પણ ઉપસ્થિત રહેશે. શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

Trending news