સુરતમાં ભીષણ આગ, સ્થાનિકોમાં સર્જાયો અફરા તફરીનો માહોલ

સુરતના સરથાણા ડીમાર્ટ પાસે આવેલા એક ફોર વ્હીલ ગેરેજમાં રાત્રે લગભગ 1:30 વાગ્યે ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને પગલે આસપાસના સ્થાનીકોમાં અફરા તરફીનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને ગેરેજમાં મુકેલી કાર આગની ચપેટમાં આવી ગઇ હતી. તો બીજી તરફ આગ લાગ્યાની જાણ થતા 15થી વધુ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. તો 4 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો.

Trending news