ધુમ્મસના લીધે દિલ્હી-જયપુર હાઇવે પર 20થી વધુ વાહનો ટકરાયા, બેના મોત

હરિયાણમાં છવાયેલા ધુમ્મસના લીધે શનિવારે દિલ્હી-જયપુર હાઇવે પર રેવાડી જિલ્લાના બાવલ નજીક 20થી વધુ વાહન ટકરાયા હતા. આ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને આસપાસની નજીકની સરકારી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. વાહનોને રસ્તા પરથી દૂર કરવા માટે પોલીસે ભારે મહેનત કરવી પડી હતી, ત્યાર બાદ હાઇવે પરથી ટ્રાફિક દૂર થયો હતો.

Trending news