Aadhaar Card: શું મૃત વ્યક્તિઓના આધારને ઈનએક્ટિવ કરવાનો કોઈ રસ્તો છે? સરકારે આ જવાબ આપ્યો

Aadhaar Card: દર વર્ષે લાખો આધાર કાર્ડ ધારકોના મૃત્યુને કારણે નકામા બની જાય છે. આવા કિસ્સામાં શું આવા કાર્ડને નિષ્ક્રિય કરી શકાય?

Aadhaar Card: શું મૃત વ્યક્તિઓના આધારને ઈનએક્ટિવ કરવાનો કોઈ રસ્તો છે? સરકારે આ જવાબ આપ્યો

Aadhaar Card Inactivation: આજના સમયમાં આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે ઉભરી આવ્યું છે. આધાર કાર્ડ (Aadhaar Card) વિના કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવા, મુસાફરી, શાળા-કોલેજમાં પ્રવેશ, બેંક ખાતું (Bank Account) ખોલાવવા વગેરેમાં મુશ્કેલીઓ આવી શકે છે. આધાર કાર્ડ જારી કરનાર સંસ્થા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ (Unique Identification Authority of India) ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, દેશના લગભગ તમામ પુખ્ત વયના લોકો માટે આધાર કાર્ડ બનાવવામાં આવ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેના આધારનું શું થાય છે. શું તે ઈન એક્ટિવ કરી શકાય છે?

શું આધારને નિષ્ક્રિય કરી શકાય?
UIDAIએ મૃત વ્યક્તિના આધારને નિષ્ક્રિય કરવાની સુવિધા આપી નથી, પરંતુ સરકાર હવે તેના પર વિચાર કરી રહી છે. IANSના અહેવાલ મુજબ, સરકાર મૃતકના આધારને નિષ્ક્રિય કરવાની પ્રક્રિયા પર કામ કરી રહી છે. હાલમાં, મૃતકોના આધારના દુરુપયોગને રોકવા માટે, સરકાર તેના આધાર (Aadhaar Lock Facility) ને લોક કરવાની સુવિધા આપે છે.

નિયમોમાં કરી શકાય છે ફેરફાર-
ભારતના રજિસ્ટર જનરલે UIDAI પાસે આ બાબતે કેટલાક સૂચનો માંગ્યા છે, જેથી તે જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ, 1969ના નિયમોમાં ફેરફાર કરીને મૃત વ્યક્તિના આધારને નિષ્ક્રિય કરી શકે. આ માટે, રજિસ્ટર જનરલ ઓફ ઈન્ડિયા મૃત્યુ પ્રમાણપત્ર જારી કરી શકે છે જેથી મૃતકના સંબંધીઓને આધાર (Aadhaar Card) રદ કરાવવામાં કોઈ મુશ્કેલી ન પડે.

આ માટે, મૃત્યુ પ્રમાણપત્ર બનાવતી વખતે મૃતકના આધાર કાર્ડની (Aadhaar Card) વિગતો પરિવારના સભ્યોને આપવી જરૂરી રહેશે. ઉલ્લેખનીય છે કે, સરકાર આધારને નિષ્ક્રિય કરવાની સુવિધા લાવવાની યોજના બનાવી રહી છે કારણ કે હવે UIDAIએ નવા બાળકને જન્મતાંની સાથે જ આધાર કાર્ડ બનાવવાની સુવિધા શરૂ કરી છે. આ માટે માત્ર બાળકની તસવીર અને સરનામું જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news