Worth News

સરકારી ગોડાઉનમાંથી કરોડો રૂપિયાનું અનાજ બારોબાર સગેવગે થઇ ગયું, તપાસમાં થયો ઘટસ્ફોટ
શહેરાના સરકારી અનાજના ગોડાઉનમાંથી કરોડૉની કિંમતનો ઘઉં અને ચોખાના જથ્થાની ઘટ મળી આવતા કરોડો રૂપિયાનું અનાજ કૌભાંડ થયું હોવાની આશંકા સેવાઇ રહી છે, ત્યારે આ મામલે હવે ગોડાઉન મેનેજર અને તેમના સ્ટાફ સહિત ઓડીટ કરનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની સામે ફરિયાદ નોંધાવવા ની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરાના સરકારી ગોડાઉનમાં માત્ર 18 દિવસ જેટલા ટૂંકા સમયમાં જ કરોડો રૂપિયાનું અનાજ પગ કરી ગયું હોવાના ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. શહેરાના સરકારી ગોડાઉનમાં સ્ટોક પત્રક કરતાં ઓછો અનાજનો જથ્થો મળી આવ્યો હતો. શહેરા મામલતદાર અને જિલ્લા પુરવઠા મામલતદારની આકસ્મિક ચકાસણીમાં આ કથિત કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં ચોંકી જવાય એવી વિગતો સામે આવી છે. ગત 31 જાન્યુઆરીએ કરાયેલા ઓડિટ અને જીલ્લા પુરવઠા અધિકારીની મુલાકાત કરી સ્ટોકની ચકાસણી કરી હતી. 
Feb 20,2021, 18:30 PM IST
વિવાદ: હિદુજા પરિવારમાં એક કાગળ મુદ્દે વિવાદ, 83 હજાર કરોડ રૂપિયા છે પત્રની કિંમત
Jun 24,2020, 17:53 PM IST

Trending news