Very important decision News

બદલી કરાવવા માટે પૈસા ખવડાવવા પડતા એ જમાના ગયા, સરકારનો મહત્વનો નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મૃદુ છતાં મક્કમ નિર્ણાયકતા સાથે પારદર્શી પ્રશાસનની નવતર પહેલ કરી હતી. રાજ્ય સરકારના વિભાગોના વિવિધ વર્ગોના કર્મયોગીઓની બદલીમાં ઓનલાઈન અરજી વોટ્સએપ ગ્રુપ દ્વારા સંકલન, વિડીયો કોન્ફરન્સથી સુનાવણી અને સુચનો જેવા નવીન અભિગમ અપનાવાયા છે. રાજ્યના પંચાયતી રાજ વ્યવસ્થાના ઇતિહાસમાં પ્રથમવાર ૨૪ કલાકમાં ૧૦૬૭ જેટલા કર્મીઓની આંતરિક જિલ્લા ફેરબદલી કરી હતી. રોજગાર અને તાલીમ વિભાગના ૧૧૬૫ કર્મીઓની માંગ અનુસાર બદલી કરવામાં આવી હતી. કર્મયોગીઓના કલ્યાણ અને વહીવટી સુદ્રઢતા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ આગવા અભિગમને પરિણામે રાજ્યના કુલ ૨,૨૩૨ કર્મયોગીઓની પાર્દર્શી ઢબે ફેરબદલી કરી હતી. 
May 28,2022, 23:31 PM IST
ગુજરાતમાં ધોરણ 9 થી 11 ની શાળાઓ આ તારીખથી ખુલશે, સરકાર દ્વારા ખુબ મહત્વનો નિર્ણય
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર-કમિટીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગો સોમવાર-તારીખ 26 જુલાઈ 2021 થી શરૂ થશે. 50 ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે-વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે. શાળામાં વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનો સંમતિપત્રક રજુ કરવાનો રહેશે- ઓનલાઈન શિક્ષણ પ્રથા યથાવત રહેશે. રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગોની શાળાઓમાં આગામી તારીખ 26 જુલાઈ 2021- સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી  વિજય  રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી  કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
Jul 22,2021, 20:24 PM IST
હોસ્પિટલો ઉઘાડી લૂંટ નહી કરી શકે,ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો ખુબ જ મોટો નિર્ણય
Apr 15,2021, 20:55 PM IST

Trending news