Vajubhai vala News

વડનગરમાં જન્મ તો પછી PM મોદીએ પોતાને કેમ ગણાવ્યા રાજકોટના કર્જદાર,જાણો રસપ્રદ સ્ટોરી
ઝી બ્યુરો/રાજકોટ: 1989થી 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે માત્ર એક જ રાજકોટ લોકસભા બેઠક ગુમાવી છે. 2009માં કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા હતા. હવે બાવળિયા ભાજપમાં છે અને ગુજરાત સરકારમાં વરિષ્ઠ મંત્રી છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે ભાજપ માટે રાજકોટ કેટલું મજબૂત છે. ભાજપના આ ગઢ સાથે પીએમ નરેન્દ્ર મોદીનું પણ અંગત જોડાણ છે. જેનો તેમણે રાજકોટની મુલાકાત દરમિયાન ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે રાજકોટનું તેમના પર દેવું છે. 21 વર્ષ પછી પણ પીએમનું કહેવું છે તે રાજકોટના કર્જદાર છે એ રાજકીય નિવેદન નથી. રાજકોટે જ પીએમ મોદીની રાજકીય યાત્રાને લીલી ઝંડી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ સાથેના તેમના અંગત જોડાણનો ઉલ્લેખ કર્યો ત્યારે તે સમયે ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા પણ મંચ પર હાજર હતા. મોદીનું આ કનેક્શન વજુભાઈ વાળાને કારણે છે. કદાચ આ જ કારણ છે કે મુખ્યમંત્રી બનેલા મોદીને રાજકોટે આગળ વધવાની પ્રેરણા આપી હતી.
Jul 28,2023, 15:14 PM IST
કોંગ્રેસે હરામનું ખાધું છે તે શૌચાલયમાં ધડાકા કરી શકે, પોખરણનો ધડાકો તમારી સાત પેઢીન
Dec 31,2021, 16:19 PM IST

Trending news