Thakkarnagar News

ગુજરાતમાં કમળે કીચડ ફેલાવ્યું, તેને સાફ કરવા ઝાડુને એક તક આપો તમારી આશા પર ખરા ઉત
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન કાલથી ગુજરાત પ્રવાસે છે. આજે તેમણે અમદાવાદના બાપુનગર, ઉત્તમનગર, નિકોલમાં ભવ્ય રોડશો આયોજીત કર્યો હતો. ડોઢ કિલોમીટર લાંબા રોડશોમાં હજારો લોકો અને આપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યાં હતા. ભગવંત માન અને અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, ગુજરાત અને ગુજરાતીઓએ આપેલા આ પ્રેમ અને સન્માન બદલ આભાર. ગુજરાતમાં પેપર ફૂટવા જાણે કે ફેશન બની ગઇ છે. આ લિકેજને બંધ કરવી પડશે. ગુજરાતમાં દરેક જગ્યાએ લિકેજ છે. શિક્ષણ વેચાઇ રહ્યું છે. કમળનું ફુલ કિચડમાં ઉગે છે. અને કિચડને સાફ કરવા માટે હંમેશા ઝાડુની જરૂર પડે છે. ભ્રષ્ટાચારના કિચડને સાફ કરવા માટે હવે ગુજરાતીઓ હાથમાં ઝાડુ પકડે તે જરૂરી બન્યું છે. 
Apr 2,2022, 20:00 PM IST

Trending news