Paradise News

મોરબી જિલ્લો ચોર માટે સ્વર્ગ: ગણત્રીના સમયમાં 3 મંદિરોને નિશાન બનાવાતા ચકચાર
જિલ્લો જાણે કે તસ્કરો માટે સ્વર્ગ સમાન હોય તે પ્રકારે એક પછી એક મંદિરને નિશાન બનાવી રહ્યા છે. મંદિરમાં મોકળું મેદાન હોય તેમ એક પછી એક મંદિરની અંદર ચોરીની ઘટનાઓ સામે આવવા લાગી છે. ટંકારા પંથકની અંદર આવતા ત્રણ મંદિરોને તસ્કરો દ્વારા નિશાન બનાવાયા હતા. ચોરી કરવામાં આવી હતી, ત્યાર બાદ હવે મોરબી તાલુકામાં વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામ પાસે સ્વામિનારાયણ મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. સ્વામીજી સહિતના લોકોને તેના રૂમમાં પૂરી દીધા બાદ તસ્કર દ્વારા અમેરિકન ડાયમંડના કિંમતી આભૂષણો તેમજ રોકડ રકમ ચોરી કરવામાં આવતા ચકચાર મચી છે. બીજી તરફ પોલીસનાં દાવાઓ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. 
Jan 1,2021, 22:19 PM IST

Trending news