Mom News

જામનગર: યુવાનનો આપઘાત, કહ્યું મમ્મી પપ્પાનો સારો દીકરો ન બની શક્યો, કોમલ સારો પ્રેમી
  કોરોના કાળમાં આર્થિક ભીંસથી કંટાળી ગયેલા જામનગરની તિરૂપતિ સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય યુવાને પોતાનાં જ ઘરમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. નિશ્ચલ શ્રીવાસ્તવ નામનો યુવાન આપઘાત કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી.  પોલીસને યુવાને લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં પોતાના અનેક સપના સાકાર કરવા માંગતા યુવાને પોતાની વ્યથા ઠાલવી છે. પોતાના આપઘાત પાછળ કોઇને પણ દોષિત ઠેરવ્યા નથી. આ યુવાન પરપ્રાંતીય હોવાનું જાણવા મળ્યું છે. સુસાઇડ નોટમાં યુવાને લખ્યું કે, મમ્મી અને પપ્પાનો સારો દીકરો ન બની શક્યો. જો કે પ્રેમિકાનો ઉલ્લેખ કરતા લખ્યું કે, કોમ તે મને ઘણો જ પ્રેમ કર્યો પણ આપણી કહાની અધુરી રહી. 
Sep 1,2020, 20:18 PM IST

Trending news