Mandhata sinh jadeja News

Pics : માંધાતાસિંહ જાડેજાને રાજતિલકની ભેટ, 2126 રાજપૂતાણીઓએ તલવાર રાસ રમીન
Jan 28,2020, 15:19 PM IST
રાજવી માંધાતાસિંહ જાડેજાના રાજતિલકના અવસરને રુડો બનાવશે 3000 રાજપૂતાણીઓ...
રાજકોટ (Rajkot) ના નવા રાજવી માંધાતાસિંહજી (mandhata sinh jadeja) ના રાજ્યાભિષેકના રૂડા અવસરની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત 3 દિવસ વિવિધ કાર્યક્રમ યોજાનાર છે. રાજ્યમાં સર્વપ્રથમ વખત ભવ્યાતિભવ્ય રાજ્યાભિષેક સમારંભ તારીખ 28 29 અને 30 રાજકોટમાં થવાનો છે. રાજકોટના રાજ પરિવારના માંધાતાસિંહ જાડેજાનું રાજતિલક (Raj Tilak) થશે. આ રાજતિલક પ્રસંગ ઐતિહાસિક હશે. દેશભરમાંથી રાજવી પરિવારો આર્થિક સામાજિક ધાર્મિક ક્ષેત્રના મહાનુભાવો રાજતિલક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ રાજ્યાભિષેકના અવસર પ્રસંગે નગરયાત્રા તલવાર બાજી અને પરંપરાગત અનેકવિધ કાર્યક્રમો રાજ પરિવારની ઐતિહાસિક ઘડીની સાક્ષી પૂરશે. ત્યારે આ પ્રસંગે રાજપૂત સમાજની 3000 વીરાંગનાઓ તલવારબાજી કરી ઈતિહાસ સર્જવા જઈ રહી છે. આ તલવારબાજીમાં ભાવનગર ગોહિલવાડ રાજપૂત સમાજની 350 દીકરીઓ અને મહિલાઓ પણ ભાગ લેશે. ભાવનગર રાજપૂત બોર્ડીંગ ખાતે આ વીરાંગનાઓ તલવારબાજીની પ્રેક્ટિસ કરી રહી છે. આટલા મોટા પ્રમાણમાં મહિલાઓ સતત 12 મિનીટ તલવારબાજીના કરતબ કરશે. જે નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કરશે. આ પ્રસંગે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. 
Jan 26,2020, 9:07 AM IST

Trending news