Jaffrabad News

DCP નો જીવ બચાવનાર ACP અનુજનું દર્દ : મોત અમારાથી 10 મીટર દુર હતું
રાષ્ટ્રીય રાજધાનીનાં તોફાનોમાં ઘાયલ થયેલા બહાદુર એસીપી ગોકલપુરી અનુજ કુમારે ZEE NEWS સાથે વાતચીત કરી હતી. એસીપીએ જણાવ્યું કે, જ્યારે ચાંદબાગ બજારમાં સીએએ વિરોધી ટોળાઓ રસ્તા અટકાવી રહ્યા હતા ત્યારે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો. જો કે આ ટોળાએ પથ્થરમારો ચાલુ કરી દીધો. આ દરમિયાન ડીસીપી શહાદરા અમિત શર્મા ઘાયલ થયા. એસીપીએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, ડીસીપી અમિત શર્માનાં મોઢામાંથઈ લોહી નિકળી રહ્યું હતું. આંખો પણ તરી ગઇ હતી. ટોળું 5-10 મીટર જ દુર હતું. અમારા પર સતત પથ્થરમારો થિ રહ્યો હતો. પછી મે જ્યારે ડીસીપીને જોયા તો તેઓ આશાહીન થઇ ગયા હતા. જો કે મે મારી જાતને સંભાળી અને ડીસીપીને લાગેલી ગ્રીલ પરની પેલેપાર મોકલી દીધા. 
Feb 28,2020, 20:38 PM IST

Trending news