Collapsed News

જૂનાગઢના વિસાવદરમાં જર્જરિત મકાનની છત પડતા પરિવાર દટાયો, માતા પુત્રનું મોત
વિસાવદરમાં વર્ષો જૂનું જર્જરિત મકાનની છત ગઇકાલે બુધવારે રાત્રે ધરાશાયી થતા માતા પુત્રનું ઘટના સ્થળે કાટમાળમાં દબાઇ જવાનાં કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જો કે છત ધરાશાયી થતા આસપાસમાંથી લોકો એકત્ર થયા હતા અને દટાયેલા પરિવારના સભ્યોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જો કે માતા પુત્ર બંન્નેના મોત નિપજ્યા હતા. ગત્ત રાત્રે વિસાવદરના રેલવે સ્ટેશન નજીક આવેલા જીવાજીના ડેલામાં રહેલા દિનેશભાઇ મકવાણાના કાચા મકાનની છત અચાનક પડી ગઇ હતી. જેથી ગરમાં રહેલા દીવ્ય દિનેશ મકવાણા (ઉં.વ 11) અને તેની માતા રીનાબેન દિનેશભાઇ મકવાણાનું કાટમાળમાં દબાઇ જવાનાં કારણે મોત નિપજ્યું હતું. જ્યારે દિનેશભાઇ અને મોટા પુત્ર દિપેશને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
Oct 22,2020, 21:22 PM IST
સુરતમાં જર્જરીત બિલ્ડિંગનો એક હિસ્સો ધરાશાયી, 1નું મોત
Jan 19,2020, 0:37 AM IST
અમદાવાદ : તંત્રની ઘોર બેદરકારી, પાણીની ટાંકી અચાનક કડડભુસ કરીને પડી અને...
શહેરના ગોતામાં ટાંકી ઉતારતા સમયે વિશાળ ટાંકી આયોજન કરતા અલગ રીતે નમી પડી. દરમ્યાન તૂટેલી ટાંકી પાસે આવેલા ઘરની કમ્પાઉન્ડ વોલ પર પડતા બે મકાનો અને 2 બાઇકને સામાન્ય નુકશાન થયુ છે. આ ઘટનામાં કોઇને ઇજા ન થતા સદનસીબે મોટી જાનહાની થતા રહી ગઇ છે. ઉલ્લેખનીય છેકે વસંતનગર હાઉસીંગ બોર્ડ વસાહતમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા ઓવરહેડ ટાંકી ઉતારવાનું કામ ચાલી રહ્યુ હતુ તે સમયે આ ઘટના બની.પહેલા બોપલ અને તે બાદ ઘાટલોડીયામાં પાણીની ઓવરહેડ જર્જરીત ટાંકી તૂટી પડવાની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા કે પછી હાઉસીંગ બોર્ડ દ્વારા પોતપોતાના કાર્યક્ષેત્રમાં આવતી જર્જરીત ટાંકીઓ ઉતારવાની કામગીરી ચાલી રહી છે. 
Nov 19,2019, 0:24 AM IST

Trending news