Cm of gujarat News

U.K ના હાઇકમિશ્નરે કરી CM ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત, આ મહત્વના મુદ્દાઓ પર થઇ ચર્ચા
ભારતસ્થિત બ્રિટીશ હાઇકમિશનર એલેકસ એસિસએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. ક્લિન એનર્જી-ગ્રીન મોબિલીટી-ગ્રીન મેન્યૂફેકચરીંગના પ્રોત્સાહન માટે ગ્રીન ટેકનોલોજી સોલ્યુશન્સ -કલાયમેટ ફાઇનાન્સીંગમાં બ્રિટીશ કંપનીઓ ભાગીદારી કરી શકે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. ભારત સરકારે યુ.કે સાથે ડિફેન્સ,સિકયુરિટી,-હેલ્થકેર સહિતના ક્ષેત્રોમાં ૧૦ વર્ષીય સહભાગીતા અંગે કરેલા MOU અન્વયે ગુજરાતનું પણ યોગદાન આપવા મુખ્યમંત્રીની નેમ વ્યક્ત કરી હતી. સોલાર-વીન્ડ એનર્જી સેકટર માં સહભાગીતા માટે મુખ્યમંત્રીએ બ્રિટીશ  હાઇ કમિશનર સાથે કર્યો વિચાર-વિમર્શ કર્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી’’થી આદિજાતિ ટ્રાયબલ વિસ્તારના સર્વગ્રાહી ડેવલપમેન્ટનું પ્રધાનમંત્રીનું વિઝન સાકાર થયું છે. આગામી વાયબ્રન્ટ સમિટમાં યુ.કે ને સહભાગી થવા પણ મુખ્યમંત્રીએ નિમંત્રણ પાઠવ્યું હતું. 
Oct 1,2021, 19:30 PM IST
અચાનક એક ગામડે પહોંચ્યા CM વિજય રૂપાણી, ગામની સ્થિતિ જાણી થયા આશ્ચર્ય ચકિત
જિલ્લાના  સાણંદ તાલુકાના ચેખલા ગામ સ્થિત કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની મુખ્યમંત્રી વિજય રૂપણીએ મુલાકાત લીધી હતી. મારે ગામાડાઓને બચાવવા છે – સુરક્ષિત કરવાં છે એટલે જ આ અભિયાન શરૂ કર્યું છે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું. સૌ સાથે મળીને કોરોના સામે જંગ લડીશું તો જીત નિશ્ચિત છે. સાફ નિયત અને સાચી દિશાના પ્રયત્નો થી ગુજરાતને કોરોનામુક્ત કરીશું. ચેખલાના ચોરે રાજ્યના ગ્રામજનોને સકારાત્મક સંદેશો પણ આપ્યો હતો. ગામડાઓને કોરોના મુક્ત રાખવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. આખી સરકાર-સંસાધનો કોરોનાની સામે અને પ્રજાની પડખે છે. કોરોનાને હરાવવા સરકાર રાજ્ય સરકાર કટિબદ્ધ છે - જરૂર છે સક્રિય લોક સહયોગની જરૂર છે. તાવ,શરદી,ખાસી જેવા લક્ષણો ને અવગણવાને બદલે સત્વરે ટેસ્ટ કરાવીએ છીએ. ગામમાં શંકાસ્પદ કે કોરોના પોઝિટિવ દર્દીઓ આઇસોલેસન સેન્ટરમાં જ રહે. 
May 9,2021, 17:11 PM IST
Dy.CM એ સરકારની સ્થિતી સ્પષ્ટ કરી, Corna બહાને સરકારને બાનમાં લેવાનો પ્રયાસ સહ્ય નહી
આજે નાયબ મુખ્યપ્રધાને જુનિયર ડોક્ટર્સની હડતાળ સહિતનાં વિવિધ મુદ્દાઓ પર પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે જુનિયર ડોક્ટર્સને કડક સંદેશો આપતા જણાવ્યું કે, લાખો રૂપિયાની સરકારી સહાયથી ભણતા આ ડોક્ટર્સ સરકારને બાનમાં લેવાનો પ્રયાસ ન કરે. બહારથી આવતા ડોક્ટર્સ પણ લાખો રૂપિયા ભરે ત્યારે તેમને અહીં ઇન્ટર્ન તરીકે પ્રેક્ટિસ કરવા દેવામાં આવે છે. જ્યારે અહીં તો સરકાર પ્રેક્ટિસની સામે 12 હજાર જેટલી રકમ આપે છે. તેવામાં આ ડોક્ટર્સ કોરોનાનાં નામે સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કરે તે અયોગ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેમણે સાથે ચિમકી ઉચ્ચારતા જણાવ્યું કે, ડોક્ટર્સ બિનશરતી હડતાળ પરત નહી ખેંચે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. 
Dec 14,2020, 19:15 PM IST
#CMकाजन्मदिनबने_रोजगारदिन શિક્ષિત બેરોજગાર સમિતિનું ટ્વિટર આંદોલન જોતજોતામાં ટ્રેન્ડ
Aug 2,2020, 11:16 AM IST
ગુજરાતમાં આજે બે મહત્વની ક્ષણ : વિજય રૂપાણીનો 64 મો જન્મદિવસ અને ગાંધીનગરનો 56મો સ્થ
આજે ગુજરાતનું પાટનગર બે મહત્વની ઘટનાઓને ઉજવી રહ્યું છે. આજે ગાંધીનગરનો 56મો સ્થાપના દિવસ છે. સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay Rupani) નો જન્મદિવસ પણ છે. જોકે, કોરોનાકાળમાં આ મહત્વની ઘટનાઓની ઉજવી શકાઈ નથી રહી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આજે તેમના જન્મ દિવસે શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા છે. વડાપ્રધાને મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત રાજ્યની વિકાસ યાત્રા ઉત્તરોત્તર પ્રગતિ  કરી રહી છે તે માટે પણ અભિનંદન આપીને તેઓના દીર્ઘાયુ અને સ્વાસ્થ્યપ્રદ જીવનની કામના કરી છે. તો ટ્વિટર પર મુખ્યમંત્રીને જન્મદિવસની અઢળક શુભકામનાઓ દેશવિદેશમાંથી મળી રહી છે. ટ્વિટર પર હાલ CM of Gujarat ટ્રેન્ડ કરી રહ્યું છે. 
Aug 2,2020, 10:12 AM IST
CM સાથેની બેઠક બાદ વિજય નેહરાનું આક્રમક ટ્વિટ, રાજકીય કિન્નાખોરીને ફરી પડકારી
રાજ્યમાં કોરોનાનાં કેસમાં કુદકેને ભુસકે વધારો થઇ રહ્યો છે. સરકાર આ મુદ્દે કામગીરી અંગે નાગરિકોમાં ભારે અસંતોષ છે. હાઇકોર્ટ પણ વારંવાર સરકાર અને અધિકારીઓને ટપારી રહી છે. તેવામાં સરકાર દ્વારા રાજકીય કિન્નાખોરી હેઠળ અધિકારીઓની બદલી કરવામાં આવી રહી હોવાના મુદ્દા પણ સામે આવી રહ્યા છે. આવા જ એક કિસ્સામાં અમદાવાદનાં કમિશ્નર વિજય નેહરાની બદલી થતા નાગરિકો દ્વારા સોશિયલ મીડિયા પર વિજય નેહરાનાં સમર્થનમાં આંદોલન ચલાવાયું હતું. જો કે આ તમામ વિવાદો વચ્ચે વિજય નેહરાએ પોતાનો નવો પદભાર ગ્રામવિકાસ સેક્રેટરી તરીકેનો પદભાર સંભાળી લીધો છે. તેમણે પોતાનો પદભાર સંભાળ્યો હોવાની માહિતી પણ ટ્વિટ દ્વારા આપી હતી. ત્યાર બાદ તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ મીટિંગ કરી હતી. આ મીટિંગ બાદ તેમણે ખુબ જ સુચક કવિતા ટ્વીટ કરી હતી. જેના પરથી  મીટિંગમાં થયેલી ચર્ચાઓનો ઘણા અંશે અંદાજ આવે છે. 
May 27,2020, 0:22 AM IST
કોરોના સામે લડી રહેલા ફ્રન્ટ લાઇનર્સને કોઇ તકલીફ ન પડે તે માટે મુખ્યમંત્રીની તાકીદ
 ગુજરાતનાં આરોગ્ય અગ્ર સચિવ દ્વારા આજે પત્રકાર પરિષદ સંબોધિત કરવામાં આવી હતી. જેમાં તેમણે આજની કોરોનાની રાજ્યની સ્થિતી અંગે ચર્ચા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આજનાં દિવસમાં કુલ 93 નવા કેસ નોંધાયા છે. જો કે સામે 25 લોકોને ડિસ્ચાર્જ પણ આપવામાં આવેલ છે. આ ઉપરાંત 04 દર્દીઓનાં દુખદ મોત નિપજ્યાં છે. નવા કેસમાં હોટસ્પોટ બની ચુકેલા મુખ્ય ચાર શહેરોમાં સૌથી વધારે દર્દીઓ આવ્યા હતા. ખાસ કરીને અમદાવાદમાં 61 કેસ નોંધાયા હતા. જ્યારે સુરતમાં 25, વડોદરામાં 7 કેસ નોંધાયા હતા. આ પ્રકારે ગુજરાતમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા 1939 પર પહોંચી ગઇ છે. જેમાં સ્ટેબલ 1716 છે જ્યારે 19 લોકો વેન્ટિલેટર પર હોવાની માહિતી આપી હતી. આ ઉપરાંત 131 લોકોને કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે અને 71 લોકોનાં મોત થયા છે.
Apr 20,2020, 20:16 PM IST

Trending news