Amarnath baba barfi News

સાવ સરળ બનશે અમરનાથ યાત્રા! પવિત્ર ગુફા સુધી મોદી સરકાર બનાવી રહી છે માર્ગ
જો તમે અમરનાથની યાત્રાએ જવાનો પ્લાન બનાવી રહ્યાં હોવ તો આ સમાચાર તમારા માટે ખુબ જ અગત્યના છે. પવિત્ર ગુફા સુધી પહોંચવાના માર્ગ પર ચાલે છે ખાસ પ્રોજેક્ટ. હવે આ ભાગ વર્લ્ડકલાસ બનશે તેમજ યાત્રા વધુ સુરક્ષિત તથા આનંદદાયક બનશે. આ પ્રોજેક્ટ અંતર્ગત માર્ગને વધુ પહોળો કરવો, સાંકડી જગ્યા અને ઢાળવાળા સ્થળની સાચવણી, ખતરનાક સ્થળોના રસ્તાને નવું રૂપ આપવું, લપસી જવાય તેવા સ્થળોએ વધુ યોગ્ય બનાવવાનું કામ સામેલ છે. અત્યાર સુધી 3.8 કિ.મીના ભાગનું કટિંગ થઇ ચૂક્યું છે. ડોજર, રોક બ્રેકર વગેરે પણ સામેલ છે. અધિકારીઓ અનુસાર ડોમેલથી આગળ આવા ભારે ઉપકરણો તેમજ મશીનરીનો પહેલા ક્યારેય ઉપયોગ કરાયો નથી.
Oct 30,2022, 10:36 AM IST

Trending news