સોલા News

EWS પ્લોટમાં ફેરબદલ કરાતા હિતરક્ષક સમિતિના નેજા હેઠળ વિશાળ રેલી યોજાઇ
અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની ટીપી 40ના EWS પ્લોટમાં ફેરબદલ કરાતા લાભાર્થીઓએ ભાડજ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ વિશાળ રેલી યોજી હતી. લાભાર્થીઓએ વી વોન્ટ જસ્ટિસ, અમુક લોકોના લાભાર્થે રાતોરાત ટેન્ડરને રદ કરીને ગેરરીતિ અને ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આરોપ લગાવ્યો હતો. જીવનસાથી પાર્ટી પ્લોટથી રેલી યોજાઈ હતી. થાળી વેલણ વગાડીને પણ તેમાં વિરોધ કરાયો હતો. સોલા - ભાડજ ટીપી 40 માં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનો ફાઇનલ પ્લોટ નં. 35 જેનું ક્ષેત્રફળ 10965 ચો.મી. છે. જે પ્લોટ કોર્પોરેશનએ EWS(ગરીબ આવાસ યોજના) હેતુ માટે રિઝર્વ કર્યો હતો. અને તે પ્લોટમાં ગરીબ આવાસ યોજનાના મકાન બનાવવા માટે ટેન્ડરિંગ કરી કામ પણ આપી દીધું હતું અને કામ ચાલુ પણ કરી દીધું હતું.
Dec 29,2019, 17:25 PM IST
ભાગવત વિદ્યાપીઠના આર્ચાય સહિત 100થી વધુ ઋષિકુમારો ભાજપમાં જોડાયા
ભાજપના સદસ્યતા અભિયાન હેઠળ પહેલા કલાકારો, તબીબો જોડાયા બાદ હવે ઋષિકુમારો પણ જોડાયા છે. સોલા ભાગવત વિદ્યાપીઠના આચાર્ય સહિત 100 થી વધુ ઋષિકુમારો ભાજપમાં જોડયા. ભાજપ પ્રદેશ પ્રમુખે દાવો કર્યો કે તમામ વર્ગના લોકોની સાથે હવે ઋષિકુમારો પણ ભાજપમાં જોડાયા છે. ભાજપ તમામ લોકોને સાથે લઇને ચાલનારી પાર્ટી છે અને દેશ હિત માટે કામ કરે છે. પ્રજાએ ભાજપમાં વિશ્વાસ મૂક્યો છે અને એટલે જ સતત બીજી વાર ભવ્ય બહુમતિ સાથે કેન્દ્રમાં મોદી સરકાર બની છે. મોદી સરકારના કલમ 370 દૂર કરવાના નિર્ણયને સમાજના તમામ વર્ગે આવકાર્યો છે ત્યારે આ જ કારણોથી સોલા ભાગવત વિદ્યાપીઠના ઋષિકુમારો ભાજપમાં જોડાયા છે. સક્રિય રાજનીતિ થી દૂર રહેવા વાળા ઋષિ કુમારોએ દેશ હિતમાં ભાજપની સાથે જોડાયા હોવાની વાત કરી હતી.
Aug 21,2019, 9:52 AM IST
હાર્દિક-અલ્પેશ-જિજ્ઞેશ પાડશે જનતા રેડ
Jul 5,2018, 14:13 PM IST

Trending news