ધુળેટી News

પંચમહાલની બહેનોની અનોખી પહેલ: કેસુડાના ફુલનું શહેરમાં વેચાણ, મળશે રોજગારી
જિલ્લો અને તેના જંગલ કેસરિયા રંગ માં રંગાયેલ જોવા મળે છે કેમ કે હાલ પંચમહાલ ના જંગલો માં કેશુડો શોળે કળાયે ખીલેલો જોવા મળી રહ્યો છે. હોળીનો તહેવાર નજીક માં હોય ત્યારે કુદરત દ્વારા ખાખરા ના વૃક્ષ પર જાણે સુંદરતા નો અતિરેક કરી નાખતી હોય એમ ખાખરા ના વૃક્ષ પર જે કેસૂડાં ના ફૂલ આવે છે એ ફૂલ થી જાણે સમગ્ર પંચમહાલ મહેકી ઉઠે છે. પંચમહાલ સહીત આસપાસ ના વિસ્તારો માં હોળી પહેલા ઉગી નીકળતા કેશુડા  ના ફૂલ  માત્ર ફૂલ અને તેના રૂપ થી મનગમતો હોય એવું નથી કેશુડો તેના ઘણા બધા ગુણો થી પણ મનગમતો છે. પ્રથમ તો આ કેશુડો હોળી ના તહેવાર માં ધુળેટી રમવા માટે ના કુદરતી રંગ આપનાર ફૂલ છે, કેશુડા ના ફૂલ ને મસળી ને એમાંથી નીકળતા રંગ ની ધુળેટી રમવી પંચમહાલ જિલ્લા માટે સામાન્ય છે. આજકાલ બજાર માં મળતા સિન્થેટિક કલર જે શરીર ને નુકશાન કારક હોય છે તેના કરતા કેશુડો રંગ માં શરીર ને અનેક રીતે ઉપયોગી અને ફાયદાકારક છે. કેશુડા માં આવેલ આયુર્વેદિક ગુણ તેના ઉપયોગ માં લેવા થી અનેક રોગો સામે પણ ફાયદો આપે છે કેસૂડાં ના ફૂલ માત્ર સૌંદર્ય વર્ધક ગુણો માત્ર ધરાવતો નથી પરંતુ કેશુડો શીત કારક પ્રભાવ પણ ધરાવતો હોઈ તેના ઉપયોગ માત્ર થી ઠંડક મળે છે અને આમેય પંચમહાલ ના લોકો તો વર્ષો થી એક ઔષધિ અને શીતપેય તેમજ શરીર પાર ચામડી નો કોઈ રોગ હોય તો કેશુડા નો ઉપયોગ કરે જ છે 
Mar 8,2020, 23:49 PM IST
હોળી અને ધૂળેટીના પ્રસંગે કાળીયા ઠાકરનાં દર્શને ભક્તોનું ઘોડાપુર
આગામી ૧૦ તારીખે ધુળેટીના દિવસે દ્વારકામાં જગતમંદિર માં ફૂલ ડોલ ઉત્સવ ઉજવવા માટે લાખો અધીરા પદયાત્રીઓ આજે દ્વારકા જગત મંદિર તરફ પહોંચવા આવ્યા છે. પદયાત્રીઓનું ઘોડાપુર આજે દ્વારકામાં ઉમટ્યું છે. દરવર્ષે  ગુજરાતભરમાંથી કાળિયા ઠાકોર એટલે કે ભગવાન દ્વારકાધિશ પર અપ્રતિમ શ્રદ્ધા ધરાવનાર લાખો પદયાત્રીઓ દ્વારકા આવે છે. પગપાળા આવતા પદયાત્રીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ માટે થઈ કે અનેક જગ્યા એ સેવા કેમ્પો પણ કરવામાં આવે છે. પદયાત્રીઓ  આજે દ્વારકામાં ઉમટ્તા દ્વારકા આવતા તમામ માર્ગો પર સેવાકીય કૅમ્પોનાં સેવાભાવીઓ દ્વારકા આવતા ભક્તો માટે સેવા કરી રહ્યા છે. ઠેર ઠેર દ્વારકાનાં માર્ગો ભક્તોથી ઉભરાયા છે. 
Mar 8,2020, 23:32 PM IST

Trending news