ડાઈવર્ટ News

પાકિસ્તાને આપ્યો જવાબ, 'જો ભારતે પાક તરફ આવતું નદીઓનું પાણી અટકાવ્યું તો..
પુલવામા આતંકી હુમલાના કારણે ભારતે પાકિસ્તાન પ્રત્યે આક્રમક વલણ અપનાવ્યું છે. પાકિસ્તાન પર એક પછી એક પ્રહાર થઈ રહ્યાં છે. જો કે પાકિસ્તાનની હાલત એવી જોવા મળી રહી છે કે મીયા પડે તો પડે પણ ટંગડી ઊંચી...ભારતે ગુરુવારે પાકિસ્તાનને પૂર્વ ક્ષેત્રની નદીઓમાંથી પોતાના ભાગના પાણીને પાકિસ્તાન જતું રોકવાનો નિર્ણય  કર્યો. ભારતના આ નિર્ણય પર પાકિસ્તાને જવાબ આપ્યો. તેણે કહ્યું કે જો ભારત દ્વારા પૂર્વ નદીઓ (રાવી, સતલજ, બીયાસ)ના પાણીના પ્રવાહમાં ફેરફાર કરવામાં આવશે તો તેને કોઈ ચિંતા નથી. અત્રે જણાવવાનું કે પાકિસ્તાનને ભારતમાંથી પાકિસ્તાન તરફ જતી ત્રણ નદીઓ બીયાસ, રાવી અને સતલજનું પાણી મળે છે. 
Feb 22,2019, 11:06 AM IST

Trending news