જનતા કર્ફ્યૂ News

ગભરાવવાની જરૂર નથી, કોરોનાને જડબાતોડ જવાબ આપવા માટે છે જનતા કર્ફ્યૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને અપીલ કરી છે કે તેઓ આજે જનતા કર્ફ્યૂનું સંપૂર્ણપણે પાલન કરે. સ્વતંત્ર ભારતમાં કદાચ પહેલીવાર આવી સ્થિતિ બની છે. ભલે કેટલાક લોકોને એમ લાગતુ હોય કે તેમના પર જનતા  કર્ફ્યૂ થોપવામાં આવ્યો છે પરંતુ હકીકત એ છે કે તે આપણી ભલાઈ માટે છે. પીએમ મોદીએ પોતે કહ્યું છે કે અત્યારનો સમય ગભરાવવાનો નથી. પરંતુ સતર્કતા વર્તવાનો છે અને એક નાનકડી કોશિશ મોટી અસર બતાવી શકે છે. જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ કોરોના વાયરસ ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 327 કેસ સામે આવ્યાં છે અને 4 લોકોના મોત થયા છે. આવામાં જનતા કર્ફ્યૂથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સરકારનો સાથ આપવો જોઈએ જેથી કરીને કોરોના વાયરસને હરાવી શકાય. 
Mar 22,2020, 11:06 AM IST
સવારે 7થી લઈને રાતે 9 વાગ્યા સુધી આજે જનતા કર્ફ્યૂ, કઈ સેવા ચાલુ અને કઈ બંધ તે જાણો
Mar 22,2020, 7:26 AM IST

Trending news