ચહલની હકાલપટ્ટી અંગે મોટો ખુલાસો! BCCI ના ચીફ સિલેક્ટર અગરકરે જાહેર કરી દીધું કારણ

Team India News: એશિયા કપમાંથી લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલની હકાલપટ્ટીને લઈને સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા જામી છે. ઘણાં લોકો આ અંગે કારણ જાણવા માંગી રહ્યાં છે. ત્યારે આખરે શું રંધાઈ રહ્યું છે તેની વાત આવી ગઈ છે સામે...વિગતવાર જાણો આ આર્ટિકલમાં...

ચહલની હકાલપટ્ટી અંગે મોટો ખુલાસો! BCCI ના ચીફ સિલેક્ટર અગરકરે જાહેર કરી દીધું કારણ

Asia Cup 2023: ભારતીય ટીમમાં પહેલાંથી જ વર્લ્ડ ક્લાસ સ્પીનર્સ રહ્યાં છે. આજે પણ આ ટીમમાં ચહલ, યાદવ અને અશ્વીન જેવા સ્પીનર્સના નામો અવ્વલ છે. ત્યારે એશિયા કપના સિલેક્શનમાં છેલ્લાં ટાઈમે ચહલને બહારનો દરવાજો દેખાડી દેવામાં આવ્યો. જેના કારણો સૌ કોઈ જાણવા માંગે છે. સૌ કોઈ જાણવા માંગે છે કે આખરે શું રંધાઈ રહ્યું છે પડદાની પાછળ. ત્યારે આ સવાલનો જવાબ હવે મળી ગયો છે. રહસ્ય પરથી પડદો ઉચકાઈ ચુક્યો છે.

ઉલ્લેખનીય છેકે, એશિયા કપ 2023ની ટીમમાંથી યુઝવેન્દ્ર ચહલ જેવા સર્વશ્રેષ્ઠ લેગ-સ્પિનરને શા માટે બહાર કરવામાં આવ્યો તેનું રહસ્ય આખરે ખુલી ગયું છે. આ વાતનો ખુલાસો કરતા ચીફ સિલેક્ટર અજીત અગરકરે પણ ભારતીય પ્રશંસકો સામે મોટું નિવેદન આપ્યું છે. એશિયા કપ 2023 માટે ભારતની 17-સભ્ય ટીમમાંથી લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલની બાદબાકી ઘણા લોકો માટે આશ્ચર્યજનક હતી.

હવે અચાનક આ મામલાને લઈને એક સનસનીખેજ રહસ્ય ખુલ્યું છે. એશિયા કપ 2023ની ટીમમાંથી યુઝવેન્દ્ર ચહલને કેમ બહાર કરવામાં આવ્યો, તેની પાછળનું મોટું કારણ સામે આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકરે જણાવ્યું છે કે શા માટે યુઝવેન્દ્ર ચહલને એશિયા કપ 2023ની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.

સનસનાટીભર્યા રહસ્ય પરથી પડદો હટ્યો-
એશિયા કપ 2023 માટે ભારતની 17 સભ્યોની ટીમની સોમવારે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ યુઝવેન્દ્ર ચહલનું નામ આ ટીમમાં નહોતું. આ પછી ઘણા સવાલો ઉઠવા લાગ્યા કે ચહલને ટીમમાં જગ્યા કેમ નથી મળી. છ ઝડપી બોલરો ઉપરાંત એશિયા કપ 2023 માટેની ટીમમાં ભારતની બોલિંગ લાઇનઅપમાં કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાના રૂપમાં ત્રણ સ્પિનરોનો સમાવેશ થાય છે. જ્યારે ચહલની હકાલપટ્ટી વિશે પૂછવામાં આવ્યું ત્યારે મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે કહ્યું કે ટીમમાં બે રિસ્ટ સ્પિનરો રાખવા મુશ્કેલ છે અને કુલદીપ ઘણી રીતે ચહલ કરતાં આગળ છે.

કેમ કરાઈ ચહલની બાદબાકી?
મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે કહ્યું, 'યુઝવેન્દ્ર ચહલ ભારત માટે એક મહાન ખેલાડી છે, પરંતુ કેટલીકવાર અમારે ટીમના સંયોજનને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો પડે છે. અક્ષર પટેલે સારું પ્રદર્શન કર્યું છે અને તે બેટિંગ પણ કરી શકે છે. કુલદીપ યાદવ બોલ અને બેટથી સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આ સમયે, બે રિસ્ટ સ્પિનરોને ફિટ કરવા મુશ્કેલ હોઈ શકે છે.

ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી કમજોરી-
કુલદીપ યાદવ ફોર્મમાં છે, તેણે 2022ની શરૂઆતથી અત્યાર સુધીમાં 19 વનડેમાં 34 વિકેટ લીધી છે. બીજી તરફ યુઝવેન્દ્ર ચહલે આ વર્ષે માત્ર બે જ વનડે રમી છે અને માત્ર ત્રણ વિકેટ લીધી છે. એક સમય હતો જ્યારે કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ બંને વન-ડેમાં સાથે રમતા હતા, પરંતુ હવે ભારતીય ટીમમાં ઓલરાઉન્ડરોની ભરપૂરતાના કારણે હવે માત્ર એક જ સ્થાન બચ્યું છે. 30 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર એશિયા કપ 2023 માટે ભારતની ટીમમાં અન્ય એક વસ્તુ ખૂટે છે જે ઓફ-સ્પિન વિકલ્પોનો અભાવ છે. પરંતુ વધુ ઝડપી બોલિંગ વિકલ્પો અને બેટિંગમાં ઊંડાણ માટે, ભારતીય ટીમે આ સંયોજન સાથે મેદાનમાં ઉતરવું પડશે.

ટીમ ઈન્ડિયાના દરવાજા બંધ થતા જણાય છે-
જ્યારે કપ્તાન રોહિતને ચહલને એશિયા કપની ટીમમાં સામેલ ન કરવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેણે જવાબ આપ્યો કે અશ્વિન-ચહલ અને સુંદર બધા વર્લ્ડ કપ પ્લાનનો ભાગ છે. તેણે કહ્યું, 'તેના ટીમમાં સામેલ થવાના દરવાજા બંધ નથી. અમારે આ નિર્ણય એટલા માટે લેવો પડ્યો કારણ કે અમે માત્ર 17 ખેલાડીઓને જ ટીમમાં સામેલ કરી શક્યા હતા. પરંતુ અનુભવી ડાબોડી ઓપનર શિખર ધવન માટે હવે ટીમ ઈન્ડિયાના દરવાજા બંધ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ભારત પાસે રોહિત, શુભમન ગિલ અને ઈશાન કિશનના રૂપમાં ત્રણ ઓપનર છે, જેઓ બેકઅપ ઓપનિંગ વિકલ્પ બની શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news