શું વિરાટ કોહલીનો દાદા, વીરૂ અને દ્રવિડ જેવો થશે હાલ? કરિયર અકાળે થઈ જશે ખતમ!

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી છેલ્લા કેટલાક મહિનાથી એક્શનમાં જોવા મળી રહ્યો નથી. આ વચ્ચે એક એવા સમાચાર આવ્યા જેનાથી વિરાટ કોહલીના ફેન્સને ઝટકો લાગ્યો હશે. તેવામાં ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ખેલાડીને લઈને મોટી વાત સામે આવી છે. 
 

શું વિરાટ કોહલીનો દાદા, વીરૂ અને દ્રવિડ જેવો થશે હાલ?  કરિયર અકાળે થઈ જશે ખતમ!

નવી દિલ્હીઃ કોઈપણ રમતમાં ખેલાડીઓના બે સપના હોય છે. એક તો શાનદાર શરૂઆત અને બીજું એક શાનદાર ફેરવેલ જેને દુનિયા યાદ રાખે. પરંતુ ઘણીવાર એવું થાય છે કે પોતાની રમતથી દુનિયાભરમાં ડંકો વગાડનાર ખેલાડીના કરિયરનો અંત ખુબ સાધારણ રીતે થાય છે. આવું ભારતીય ક્રિકેટમાં એક નહીં ઘણા ખેલાડીઓ સાથે થયું છે, જેમાં પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી, વીરેન્દ્ર સેહવાગ અને રાહુલ દ્રવિડ જેવા મોટા નામ છે. આ ખેલાડીઓએ ભારતીય ક્રિકેટમાં પોતાની એક અમિટ છાપ છોડી, પરંતુ તેની વિદાય ભાગ્યે જ ક્રિકેટ ફેન્સને યાદ હશે. 

આ વચ્ચે હવે ટીમ ઈન્ડિયાના કિંગ કહેવાતા દિગ્ગજ વિરાટ કોહલીને લઈને આવી આશંકા થવા લાગી છે. વિરાટ કોહલી છેલ્લા કેટલાક સમયથી એક્શનમજાં જોવા મળ્યો નથી. આ વચ્ચે તેને લઈને એક સમાચાર સામે આવ્યા કે આ વર્ષે જૂનમાં યોજાનાર ટી20 વિશ્વકપમાંથી તેને બહાર રાખવામાં આવી શકે છે. તેવામાં વિરાટ કોહલીના ફેન્સ માટે આ એક મોટો ઝટકો હોઈ શકે છે.

શું કોહલી ટી20 ક્રિકેટમાં ફિટ નથી
આઈસીસી ટી20 વિશ્વકપ 2024માં વિરાટ કોહલીને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવશે કે નહીં, તેને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેને લઈને મીડિયામાં જે સમાચાર ચાલી રહ્યાં છે તે માત્ર રિપોર્ટના આધાર પર છે. પરંતુ તેને લઈને જે તર્ક આપવામાં આવી રહ્યો છે કે વધતી ઉંમરની સાથે વિરાટ કોહલી હવે ટી20 ક્રિકેટમાં ફિટ બેઠી રહ્યો નથી. કારણ કે તેની પાસે પ્રથમ બોલથી હિટ લગાવવાની ક્ષમતા ખતમ થઈ ગઈ છે. તેવામાં તેની જગ્યાએ ટીમ ઈન્ડિયામાં ત્રીજા નંબર પર યશસ્વી જાયસવાલ, ગિલ અને ગાયકવાડ જેવા ખેલાડીઓને અજમાવી શકાય છે. 

શું સમય પહેલા ખતમ થઈ જશે વિરાટનું કરિયર
વિરાટ કોહલી 35 વર્ષની ઉંમરમાં ફિટનેસના મામલામાં કોઈથી ઓછો નથી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષમાં સતત રમવાને કારણે તેનો વર્કલોડ મેનેજ થઈ રહ્યો નથી. આ કારણ છે કે તે સતત ત્રણેય ફોર્મેટમાં રમી રહ્યો નથી. તેની ગેરહાજરીમાં ભારતે નંબર ત્રણ પર ઘણા ખેલાડીઓને જણાવ્યા છે. તેવામાં ભારતીય ટીમ મેનેજમેન્ટ ભવિષ્યને ધ્યાનમાં રાખતા વિરાટ કોહલીને ધીમે-ધીમે સાઇડલાઇન કરી શકે છે. 

ભારતીય ક્રિકેટમાં પહેલા પણ આ જોવા મળ્યું છે. સૌરવ ગાંગુલી, વીરેન્દ્ર સેહવાગ, વીવીએસ લક્ષ્મણ, રાહુલ દ્રવિડ અને ન જાણે કેટલા નામ છે, જેનું કરિયર તે માટે સમાપ્ત થઈ ગયું કારણ કે તેની જગ્યા પર નવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. આ રીતે જો વિરાટ કોહલી સાથે આવું થાય તો તેમાં કંઈ ચોંકાવનારૂ હશે નહીં પરંતુ ભારતીય ક્રિકેટનો ઈતિહાસ જોઈએ તો ટીમ મેનેજમેન્ટે જે ખેલાડીઓને સાઇડલાઇન કર્યાં છે તેમાં વિરાટ કોહલીનું કદ સૌથી ઉપર છે. 

છેલ્લા દોઢ દાયકાથી રાજ કરી રહ્યો છે કોહલી
વિરાટ કોહલીએ વર્ષ 2008માં ટીમ ઈન્ડિયા માટે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે ભારત માટે અત્યાર સુધી 113 ટેસ્ટ, 292 વનડે અને 117 ટી20 મેચ રમી ચૂક્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં તેના નામે 8848 રન છે, જ્યારે વનડેમાં તેણે 13848 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં કોહલીના નામે 29 સદી અને વનડેમાં 50 સદી છે. 

આ સિવાય ટી20 ક્રિકેટમાં કોહલીએ એક સદી સાથે 4037 રન બનાવ્યા છે. વિરાટ કોહલીના આ આંકડા દર્શાવે છે કે તે છેલ્લા દોઢ દાયકાથી વિશ્વ ક્રિકેટ પર રાજ કરી રહ્યો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news