World Cup: પાકને શું સલાહ, રોહિત બોલ્યો કોચ બનીશ ત્યારે જણાવીશ

ભારતીય ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ મજાકભર્યા અંદાજમાં કહ્યું કે, તે પાક ટીમનો ત્યારે કોઈ સલાહ આપશે જ્યારે તે ટીમનો કોચ બનશે. 

World Cup: પાકને શું સલાહ, રોહિત બોલ્યો કોચ બનીશ ત્યારે જણાવીશ

માનચેસ્ટરઃ રવિવારે માનચેસ્ટરમાં પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર સદી ફટકારનાર રોહિત શર્મા મેદાનની બહાર પણ પોતાના રંગમાં જોવા મળ્યો હતો. એક પાકિસ્તાની પત્રકારે જ્યારે તેને પૂછ્યું કે તે મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલી પાક ક્રિકેટ ટીમને શું સલાહ આપશે- તો રોહિતે મજાકમાં જવાબ આપ્યો. 

રોહિતે આ સવાલના જવાબમાં કહ્યું- 'જ્યારે પાકિસ્તાની ક્રિકેટ ટીમનો કોચ બનીશ ત્યારે જવાબ આપીશ.' રોહિતે આ વાત મેચ બાદ પત્રકાર પરિષદમાં કરી હતી. તેણે પાકિસ્તાન વિરુદ્ધ 140 રન ફટકાર્યા હતા. આ એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 24મી સદી હતી. આ વિશ્વકપમાં તેની બીજી સદી છે. 

ભારતે રોહિતની ઈનિંગની મદદથી 5 વિકેટ પર 336 રન બનાવ્યા હતા. વરસાદના વિઘ્નવાળી મેચમાં પાકિસ્તાની ટીમ 6 વિકેટ પર 212 રન બનાવી શકી હતી. DLS નિયમ અનુસાર ભારતે પાકિસ્તાનને 89 રને પરાજય આપીને મેચ જીતી લીધી હતી. 

વિશ્વકપમાં પાકિસ્તાની ટીમની ભારત વિરુદ્ધ આ સાતમી હાર હતી. ભારત પાકિસ્તાન વિરુદ્ધ વિશ્વકપમાં ક્યારેય હાર્યું નથી. પાંચ મેચોમાં ત્રણ હારી ચુકી છે. તે પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે. સેમીફાઇનલમાં સ્થાન મેળવવવા માટે તેણે પોતાની તમામ મેચ જીતવી પડશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news