IPL વચ્ચે અચાનક આવ્યા એક ખરાબ સમાચાર, દિગ્ગજ ભારતીય ક્રિકેટરે દુનિયાને કહ્યું અલવિદા

IPL CRICKET : પૂર્વ કેપ્ટન, દિગ્ગજ ઓલરાઉન્ડર અને સ્પોટ્સ મેન તરીકેની છબિ ધરાવતા દિગ્ગજ ભારતીય ક્રિકેટનું અચાનક અવસાન થયું છે. સિનિયર ખેલાડીના નિધનથી ક્રિકેટ જગતમાં પ્રસરે શોકની લાગણી પ્રસરી છે.

IPL વચ્ચે અચાનક આવ્યા એક ખરાબ સમાચાર, દિગ્ગજ ભારતીય ક્રિકેટરે દુનિયાને કહ્યું અલવિદા

IPL CRICKET :  હાલ આઈપીએલ ચાલી રહી છે. ટી-20 ક્રિકેટનું આ ફોર્મેટ રોજ નવા નવા રેકોર્ડ કાયમ કરી રહ્યું છે. સાથે જ નવા નવા ખેલાડીઓને મોકો આપી રહ્યું છે. એટલું જ નહીં ક્રિકેટના આ ફોર્મેટને કારણે સિનિયર ખેલાડીઓને પણ બેટિંગ કોચ, બોલિંગ કોચ, બિલ્ડિંગ કોચ, હેડ કોચ અને મેન્ટોર જેવા સન્માનજનક હોદ્દા પર સારા પગારે કામ મળી રહી છે. કરોડો ચાહકો પણ ક્રિકેટના આ ફોર્મેટને ખુબ પસંદ કરે છે. જોકે, આઈપીએલની વચ્ચે આવ્યાં છે એક દુઃખદ અને માઠા સમાચાર. જેને કારણે ક્રિકેટ જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. વધુ એક દિગ્ગ્જ ક્રિકેટરનું નિધન. 

ક્રિકેટ ઉપરાંતની રમતોમાં પણ હતા માહેરઃ
ક્રિકેટની સાથે તેણે લોન ટેનિસ, બેડમિન્ટન અને ટેબલ ટેનિસ જેવી અન્ય રમતોમાં પણ રસ દાખવ્યો. થ્રીપુનિથુરાના મંદિરના નગરના સાંસ્કૃતિક ક્ષેત્રમાં તેમની સતત હાજરી હતી. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બાલાગોકુલમ, વિશ્વ હિન્દુ પરિષદ, કથકલી કેન્દ્રમ, પૂર્ણત્રયશા સંગીત સભા અને પૂર્ણત્રયશા સેવા સંઘ સાથે પણ સંકળાયેલા હતા અને પદાધિકારી તરીકે કામ કર્યું હતું. તેમનો મૃતદેહ ત્રિપુનિથુરામાં તેમના પુત્ર રામ મોહનના એપાર્ટમેન્ટમાં રાખવામાં આવ્યો છે. મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે ચેંદમંગલમમાં પાલિયમ પરિવારના સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

રવિ અચાન હવે આપણી વચ્ચે નથી રહ્યાં

પૂર્વ ભારતીય ક્રિકેટર રવિ અચાન હવે આપણી વચ્ચે નથી રહ્યાં. કેરળ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન પલિયાથ રવિ અચાનનું વૃદ્ધાવસ્થા સંબંધિત લાંબી માંદગીઓને કારણે નિધન થયું છે. તેઓ 96 વર્ષના હતા. અચન ઓલરાઉન્ડર હતા. તેમણે 1952 થી 1970 દરમિયાન કેરળ માટે 55 ફર્સ્ટ ક્લાસ મેચ રમી જેમાં તેમણે 1107 રન બનાવ્યા અને 125 વિકેટ લીધી હતી. તેમના પરિવારમાં તેમના પુત્ર કે. આ રામ મોહન છે.

IPL વચ્ચે સિનિયર ક્રિકેટરનું નિધનઃ
ઈન્ડિયન પ્રીમિયર લીગ વચ્ચે ક્રિકેટ જગત માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ક્રિકેટ જગતનો એક ભાગ રહી ચૂકેલા ક્રિકેટરના નિધનના સમાચારથી ચાહકો અને ક્રિકેટર્સમાં દુઃખની લાગણી છે. પૂર્વ ભારતીય ક્રિકેટર રવિ અચાને દુનિયાને અલવિદા કહી દીધું છે. કેરળ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન પલિયાથ રવિ અચાનનું વૃદ્ધાવસ્થા સંબંધિત બીમારીઓને કારણે નિધન થયું છે.

કેવી હતી રવિ અચાનની ક્રિકેટ કારકિર્દીઃ
રવિ અચાનની સ્થાનિક ક્રિકેટ કારકિર્દી 1952 થી 1970 ની વચ્ચે ચાલી હતી. આ સમયગાળા દરમિયાન, તેણે ત્રાવણકોર-કોચીન અને કેરળ માટે 55 ફર્સ્ટ ક્લાસ મેચ રમી. જમણા હાથના બેટ્સમેન અને જમણા હાથના લેગ સ્પિનર ​​અચને 1107 રન બનાવ્યા અને 125 વિકેટ લીધી. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 70 રન હતો, જે તેણે મદ્રાસ સામેની મેચમાં બનાવ્યો હતો. તે જ સમયે, તેની કારકિર્દીની શ્રેષ્ઠ બોલિંગ 34 રનમાં 6 વિકેટ હતી, જે તેણે આંધ્રપ્રદેશ સામે કરી હતી.

નામે છે આ રેકોર્ડઃ
રવિ અચાન કેરળ ક્રિકેટ ટીમનો પ્રથમ ખેલાડી હતો જેણે 1000 રન બનાવવા અને 100 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી. પલિયાથ રવિ અચાનનું સોમવારે રાત્રે લગભગ 9 વાગ્યે થ્રીપુનિથુરામાં તેમના પુત્રના ઘરે અવસાન થયું. તેઓ 96 વર્ષના હતા. ઉંમર સંબંધિત બિમારીઓને કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી તેમની તબિયત સારી ન હતી. રવિ અચાનનો જન્મ 1928માં પાલિયમ શાહી પરિવારના સભ્ય અનિયંકુટ્ટન થમ્પુરાન અને કોચુકુટ્ટી કુંજમ્માને ત્યાં થયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news