રોહિત શર્માએ પાસ કર્યો ફિટનેસ ટેસ્ટ, બાંગ્લાદેશ વિરૂદ્ધ મેચ રમશે

Rohit Sharma At NCA: રોહિત શર્માએ નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. હવે તે રવિવારે ભારતીય ટીમની સાથે જોડાશે. 

રોહિત શર્માએ પાસ કર્યો ફિટનેસ ટેસ્ટ, બાંગ્લાદેશ વિરૂદ્ધ મેચ રમશે

IND vs BAN 2nd Test: ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્માને બાંગ્લાદેશ વિરૂદ્ધ બીજી વનડે મેચ દરમિયાન ઇજા પહોંચી હતી. તેના લીધે તે ત્રીજી વનડે મેચ રમી શક્યા ન હતા. આ ઉપરાંત ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં રમી શક્યા ન હતા. જોકે ભારતીય ફેન્સ માટે સારા સમાચાર છે. જોકે રોહિત શર્મા ઇંજરીથી બહાર નિકળી ગયા છે. હવે તે બાંગ્લાદેશ વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો ભાગ બનશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સીરીઝની બીજી મેચ 22 ડિસેમ્બરના રોજ રમાશે. 

રોહિત શર્મા હાલ બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે. સાથે જ તેમણે ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો છે. જોકે નેશનલ ક્રિકેટ એકેડમીમાં રોહિત શર્માએ મોડે સુધી બેટીંગ કરી નહી. ત્યારબાદ તેમણે ફિજિયો સાથે સમય વિતાવ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રોહિત શર્મા રવિવારે ટીમ સાથે જોડાઇ જશે. હાલ ભારતીય ટીમ બાંગ્લાદેશ વિરૂદ્ધ ચટગાંવમાં પ્રથમ ટેસ્ટ મેચ રમી રહી છે.

ચટગાવ ટેસ્ટ પર ટીમ ઇન્ડીયાની પકડ મજબૂત
તો બીજી તરફ ચટગાવ ટેસ્ટની વાત કરીએ તો ભારતીય ટીમ એકદમ મજબૂત સ્થિતિમાં છે. ટીમ ઇન્ડીયાએ પોતાની બીજી ઇનિંગ 2 વિકેટ પર 258 રન બનાવીને ડિકલેર કરી છે. ત્યારબાદ મેજબાન ટીમને મેચ જીતવા માટે 513 રનોનો ટાર્ગેટ મળ્યો છે. બાંગ્લાદેશની ટીમ ત્રીજા દિવસની રમત પુરી થાય ત્યાં સુધી કોઇ નુકસાનના 41 રન બનાવી ચૂકી છે. જોકે આ ટેસ્ટ મેચમાં 3 દિવસની રમત બાકી છે. જ્યારે બાંગ્લાદેશને જીત માટે 471 રનની જરૂર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news