ટીમ ઈન્ડિયાના આ ખેલાડી માટે વિલેન બન્યો રવીન્દ્ર જાડેજા, મજબૂરીમાં લેવું પડ્યું રિટાયરમેન્ટ!

ડાબોડી હાથના સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને 33 વર્ષની ઉંમરમાં સંન્યાસની જાહેરાત કરવી પડી અને તેનું સૌથી મોટું કારણ રવીન્દ્ર જાડેજા બન્યા. પ્રજ્ઞાન ઓઝાએ 14 નવેમ્બર 2013ના રોજ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ રમી હતી, જે સચિન તેદુંલકરની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિદાય મેચ પણ હતી.

ટીમ ઈન્ડિયાના આ ખેલાડી માટે વિલેન બન્યો રવીન્દ્ર જાડેજા, મજબૂરીમાં લેવું પડ્યું રિટાયરમેન્ટ!

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા માટે કોઈ પણ ખેલાડીને તનતોડ મહેનત કરવી પડે છે. ઘણા સારા ખેલાડીઓના કરિયર તો બહાર બેંચ પર બેઠા બેઠા જ બર્બાદ થઈ જાય છે. ટીમમાં સિલેક્શન થવું જેટલું મુસ્કેલ માનવામાં આવે છે, તેનાથી વધારે મુશ્કેલ કામ પોતાનું સ્થાન ટીમ ઈન્ડિયામાં જાળવી રાખવાનું છે, કારણ કે ટીમની બહાર પણ એવા ખેલાડી છે, જે પોતાના શાનદાર પ્રદર્શનના દમે કડક કોમ્પિટિશન આપે છે. પરંતુ ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી તો એવો છે જે લાંબો સમય સુધી ટીમનું હથિયાર હતું, પરંતુ તે ક્યારેય ટીમની બહાર થઈ ગયો કોઈને કંઈ ખબર પડી જ નહીં.

અચાનક ટીમમાંથી ગુમ થયો આ ખેલાડી
કોઈ બોલર કોઈ ટેસ્ટ મેચમાં 10 વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કરે અને ત્યારબાદ તેનું કરિયર પુરું થઈ જાય, તો તમને આ વાત પર વિશ્વાસ નહીં થાય. આવું એક ઉદાહરણ ડાબોડી હાથના સ્પિનર પ્રજ્ઞાન ઓઝા છે, જેમણે ટેસ્ટ મેચમાં 10 વિકેટ લીધી હોવા છતાં ટીમમાંથી એવી રીતે બહાર કરવામાં આવ્યા કે તેઓ ફરીથી ટીમમાં ક્યારેય પાછો ફર્યો નહીં. આ બોલર એક જમાનામાં ટીમ ઈન્ડિયાનું સૌથી મોટું હથિયાર હતો અને રવિચંદ્રન અશ્વિનની સાથે તેની જોડી હિટ માનવામાં આવતી હતી. આ ખેલાડીને પહેલા મહેન્દ્રસિંહ ધોની પોતાની કેપ્ટનશિપમાં નજરઅંદાજ કરતા રહ્યા, ધોની બાદ કેપ્ટન બનેલા વિરાટ કોહલીએ પણ આ ખેલાડીનો ભાવ સુધ્ધા પુછ્યો નહોતો.

મજબૂરીમાં લેવો પડ્યો સંન્યાસ
ડાબોડી હાથના સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને 33 વર્ષની ઉંમરમાં સંન્યાસની જાહેરાત કરવી પડી અને તેનું સૌથી મોટું કારણ રવીન્દ્ર જાડેજા બન્યા. પ્રજ્ઞાન ઓઝાએ 14 નવેમ્બર 2013ના રોજ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ રમી હતી, જે સચિન તેદુંલકરની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિદાય મેચ પણ હતી. મુંબઈમાં રમાયેલી આ ટેસ્ટ મેચમાં પ્રજ્ઞાન ઓઝાએ બન્ને ઈનિંગોમાં 40 રન આપીને 5 વિકેટ લેતા 89 રન આપીને 10 વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

ત્યારબાદ ઓઝાના એક્શન પર સવાલ ઉઠ્યા. આ કારણે તેણે મજબૂરીમાં ટીમ ઈન્ડિયામાંથી બહાર બેસવાનો વારો આવ્યો. ત્યારબાદ તેમણે એક્શનમાં સુધારો કરવા માટે તનતોડ મહેનત કરી અને આઈસીસી તરફથી ક્લીન ચીટ પણ હાંસલ કરી, પરંતુ ત્યાં સુધીમાં તત્કાલીન કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ગુડબુકમાં સામેલ રવીન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન નક્કી કરી ચૂક્યા હતા. આ કારણે ફરીથી ઓઝા ક્યારેય ટીમમાં વાપસી કરી શક્યો નહોતો અને મજબૂરીમાં સંન્યાસ લેવો પડ્યો.

ખરાબ રીતે બર્બાદ થયું ક્રિકેટ કરિયર
ઓડિશામાં 5 સપ્ટેમ્બર, 1986માં જન્મેલા ઓઝાની છેલ્લી મેચ ખુબ જ ઐતિહાસિક હતી. આ ટેસ્ટમાં ઓઝાએ માત્ર 10 વિકેટ જ લીધી ન હતી, પરંતુ તે મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ પણ હતી. મુંબઈમાં 14 નવેમ્બર, 2013ના રોજ શરૂ થયેલી આ ટેસ્ટમાં પ્રજ્ઞાનની બોલિંગે કેરેબિયન બેટ્સમેનો પર એટલી તબાહી મચાવી દીધી કે પરિણામ 3 દિવસમાં જ આવી ગયું. પરંતુ સચિન તેંડુલકરની વિદાયના ઉત્સાહ વચ્ચે પ્રજ્ઞાનની આ જબરદસ્ત સિદ્ધિ દબાઈ ગઈ. જો કે આ ટેસ્ટ મેચમાં તેને મેન ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો.

ઈતિહાસમાં નોંધાઈ ગઈ હતી તે 10 વિકેટ
મુંબઈ ટેસ્ટમાં ત્યારે પ્રજ્ઞાને બન્ને ઈનિંગોમાં 40 રનમાં 5 વિકેટ અને બંને દાવમાં 49 રનમાં 5 વિકેટ ઝડપીને 89 રનમાં 10 વિકેટ ઝડપી, જે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી 90 ટેસ્ટ મેચોમાં છઠ્ઠું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન હતું. એટલું જ નહીં, વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચમાં ત્રીજા નંબરે ભારતનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન હતું.

પ્રજ્ઞાન ઓઝાએ બાંગ્લાદેશ સામે 2009 T20 વર્લ્ડ કપ મેચમાં તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પહેલી મેચ રમી હતી. આ મેચમાં ઓઝાએ 21 રનમાં 4 વિકેટ ઝડપી હતી અને તેને 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો. તેમ છતાં, તેની T20 ઇન્ટરનેશનલ કારકિર્દી 6 મેચમાં 10 વિકેટ લઈને સમેટાઈ ગઈ હતી. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ક્યારેય તેમની બોલિંગ પર પૂર્ણ વિશ્વાસ બતાવી શક્યો નહીં. આ સિવાય ઓઝાએ 2009માં શ્રીલંકા સામે કાનપુર ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news