IPL 2021: ટી નટરાજનના ઘૂંટણની થઈ સર્જરી, હોસ્પિટલમાંથી ફેન્સને કર્યો ખાસ મેસેજ

ટીમ ઇન્ડિયાના (Team India) ટી નટરાજન (T Natarajan) ઈજાના કારણે આઇપીએલ 2021 (IPL 2021) માંથી બહાર છે. સનરાઈઝર્સ હૈદરાબાદના (Sunrisers Hyderabad) આ ફાસ્ટ બોલરને તેના ફેન્સનો ખ્યાલ આવ્યો છે

IPL 2021: ટી નટરાજનના ઘૂંટણની થઈ સર્જરી, હોસ્પિટલમાંથી ફેન્સને કર્યો ખાસ મેસેજ

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના (Team India) ટી નટરાજન (T Natarajan) ઈજાના કારણે આઇપીએલ 2021 (IPL 2021) માંથી બહાર છે. સનરાઈઝર્સ હૈદરાબાદના (Sunrisers Hyderabad) આ ફાસ્ટ બોલરને તેના ફેન્સનો ખ્યાલ આવ્યો છે અને તેણે ખાસ મેસેજ શેર કર્યો છે.

ટી નટરાજને (T Natarajan) તેના ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો જેમાં તે હોસ્પિટલના પલંગ પર છે, તેણે લખ્યું, 'આજે મારી ઘૂંટણની સર્જરી થઈ છે અને હું તબીબી ટીમ, સર્જનો, ડોકટરો, નર્સો અને સ્ટાફનો મહારત, સેવા અને દયા માટે આભારી છું. હું બીસીસીઆઈ (BCCI) સહિતના બધા લોકોનો આભારી છું કે જેમણે મારા માટે શુભેચ્છાઓ પાઠવી છે.

— Natarajan (@Natarajan_91) April 27, 2021

ઝડપી બોલર ટી નટરાજનને (T Natarajan) ઘૂંટણમાં ઈજા થઈ હતી. જેના કારણે તે આઈપીએલની 14 મી સીઝનની બાકીની મેચમાંથી બહાર થઈ ગયો છે. ઈજાને કારણે તેને હાલના સમય માટે મેદાનથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. નટરાજન આઈપીએલ 2021 (IPL 2021) માં માત્ર 2 મેચ રમ્યો છે, જેમાં તેને 2 વિકેટ મળી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news