IPL 2022ના મેગા ઓક્શન પહેલા મોટા સમાચાર, આ બે ખેલાડીઓ બની શકે છે Ahmedabad ટીમના કેપ્ટન

CVC કેપિટલએ આંતરરાષ્ટ્રીય ઈન્વેસ્ટમેન્ટ ફર્મ છે જેણે નવી IPL ટીમો માટે બીજી સૌથી મોટી બોલી લગાવી છે. આ ટીમનું હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) હશે.

IPL 2022ના મેગા ઓક્શન પહેલા મોટા સમાચાર, આ બે ખેલાડીઓ બની શકે છે Ahmedabad ટીમના કેપ્ટન

નવી દિલ્હી: IPL 2022 મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) પહેલા નવી ટીમ અમદાવાદ (Ahmedabad) ફ્રેન્ચાઇઝી એક એવી ટીમ બનાવવાની તૈયારી કરી રહી છે જે તેમને આગામી વર્ષે ટાઇટલ જીતાવી શકે. CVC કેપિટલે આ ટીમની માલિકી રૂ. 5166 કરોડમાં મેળવી લીધી છે.

આ 2 ખેલાડીઓમાં કેપ્ટનશીપને લઈને જંગ
CVC કેપિટલએ આંતરરાષ્ટ્રીય ઈન્વેસ્ટમેન્ટ ફર્મ છે જેણે નવી IPL ટીમો માટે બીજી સૌથી મોટી બોલી લગાવી છે. આ ટીમનું હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) હશે. ચાલો જાણીએ કે કયા 2 ખેલાડીઓ છે જેમને અમદાવાદની ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

1. ડેવિડ વોર્નર
સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ડેવિડ વોર્નર  (David Warner) ની વિદાય નિશ્ચિત છે અને હવે કાંગારુ બેટ્સમેનોએ પહેલેથી જ જણાવ્યું છે કે તેઓ હરાજી પૂલ (Auction Pool)માં હશે. આવી સ્થિતિમાં અમદાવાદની ટીમ તેમને કેપ્ટનશીપની જવાબદારી આપવાનું વિચારી શકે છે. વોર્નરે અત્યાર સુધીમાં IPLમાં 41.59ની એવરેજ અને લગભગ 140ના સ્ટ્રાઈક રેટથી 5449 રન બનાવ્યા છે, જેમાં 4 સદી અને 50 અડધી સદી સામેલ છે. આઈપીએલ 2021માં SRH ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, જેના કારણે વોર્નરને કેપ્ટનશીપથી હટાવી દેવામાં આવ્યો અને પછી તેને સતત પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો. હવે ઓસ્ટ્રેલિયન સ્ટાર નવી શરૂઆત કરવા માંગે છે. તે વર્તમાન ICC T20 વર્લ્ડકપ દ્વારા ફોર્મમાં પાછો ફર્યો છે, જેના કારણે IPLમાં મોટી ભૂમિકા માટે તેનો દાવો મજબૂત બન્યો છે.

2. શ્રેયસ અય્યર
શ્રેયસ અય્યર આવતા વર્ષે કોઈ અન્ય ટીમ માટે રમતા જોવા મળી શકે છે કારણ કે તે ટીમનું નેતૃત્વ કરવા માંગે છે, કારણ કે દિલ્હી કેપિટલ્સ  (Delhi Capitals) ફ્રેન્ચાઈઝી ઋષભ પંત (Rishabh Pant) ને કેપ્ટન તરીકે જાળવી રાખવાના મૂડમાં છે. આવી સ્થિતિમાં જો ઐય્યર હરાજી પૂલમાં આવે છે, તો તે પછી અમદાવાદ (Ahmedabad)ની ટીમ તેના પર દાવ રમી શકે છે. અય્યરે વર્ષ 2020માં પોતાની કપ્તાની હેઠળ દિલ્હીની ટીમને પહેલીવાર IPLની ફાઇનલ (IPL Final) માં પહોંચાડી હતી. જો અમદાવાદના માલિકો લાંબા ગાળાના ભારતીય કેપ્ટનની શોધમાં હોય તો 26 વર્ષીય અય્યર યોગ્ય પસંદગી સાબિત થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news