Vastu Tips: ભૂલથી પણ ઘરમાં ન વાવતા આ છોડ, નહીં તો દિવસ-રાત થશે ઝઘડો અને કકળાટ

Vastu Rules for Plants: ઘરની સુંદરતા વધારવા માટે લોકો છોડ રોપે છે. વાસ્તુ અનુસાર છોડને ઘરના આંગણામાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુમાં અનેક શુભ અને અશુભ વૃક્ષ વિશે જણાવવામાં આવ્યું છે. જેનું પાલન કરીને તમે તમારા પરિવારમાં ખુશીઓ લાવી શકો છો.

Vastu Tips: ભૂલથી પણ ઘરમાં ન વાવતા આ છોડ, નહીં તો દિવસ-રાત થશે ઝઘડો અને કકળાટ

Unauspicious Plant For Home: ઘરમાં કયો છોડ લગાવવાથી તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક છોડને ઘરમાં રાખવાની સખત મનાઈ છે. ઘરમાં લગાવેલા આ અશુભ છોડ ઘરની સુખ-શાંતિનો નાશ કરે છે.  અને આવક અને પ્રગતિ અટકાવે છે.

ઘરમાં ન લગાવો આ વૃક્ષ:

1) મેંદીનો છોડ-
હાથ અને વાળને સજાવવા માટે મહેંદીનો ઉપયોગ થાય છે. મહેંદીની સુગંધ વાતાવરણને સુગંધિત બનાવે છે, પરંતુ ઘરમાં મહેંદીનો છોડ લગાવવાથી ઘણું નુકસાન થઈ શકે છે. મેંદીનો છોડ નકારાત્મક શક્તિઓને આકર્ષે છે.

2) બાવળનો છોડ-
ઘરની અંદર કે બહાર ક્યારેય કાંટાવાળા છોડ ન લગાવો. ઘરની આસપાસ કાંટાવાળો છોડ રાખવાથી પણ ઘણું નુકસાન થાય છે. બાવળનો છોડ ઘરને બરબાદ કરી શકે છે. ઘરમાં ઝઘડા અને વિખવાદ પેદા કરે છે, નાણાનો પ્રવાહ બંધ કરે છે, પ્રગતિનો માર્ગ બંધ કરે છે.

3) આમલીનો છોડ-
આમલીનો છોડ નકારાત્મક ઉર્જા પણ આકર્ષે છે તેથી આમલીનું ઝાડ ઘરની અંદર કે સામે ન લગાવવું જોઈએ.

4) કપાસનો છોડ-
કપાસનો છોડ દેખાવમાં સુંદર લાગે છે પરંતુ આ છોડને તમારા ઘરમાં ક્યારેય ન લગાવો. કપાસનો છોડ ઘરમાં અશુભતા લાવે છે. તેનાથી ધનની ખોટ, દુ:ખ, કષ્ટ થાય છે.

5) બોનસાઈ છોડ-
બોનસાઈ દેખાવમાં સુંદર છે. તેની સંભાળ રાખવા માટે અલગ-અલગ આવડતની જરૂર હોય છે, પરંતુ બોનસાઈના છોડને તમારા ઘરમાં રાખવાથી તમને ઘણાં નુકસાન થઈ શકે છે. બોનસાઈ છોડ પ્રગતિના માર્ગને અવરોધે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news